સાસંદ સભ્ય મોહનભાઈ કુંડારીયા તથા કેશરીદેવસિંહ સહિતના મહાનુભાવોએ લીલીઝંડી આપી ટ્રેનનું સ્વાગત કર્યું
વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે ઓખા-દહેરાદૂન અને દહેરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ ટ્રેને વાંકાનેર જંકશને નવો સ્ટોપ મળતા આજરોજ સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયા તથા કેશરીદેવસિંહ ઝાલા સહિતના મહાનુભાવો દ્વારા ટ્રેનનું વાંકાનેર સ્ટેશન ખાતે સ્વાગત સાથે લીલી ઝંડી બતાવી ઓખા-દહેરાદૂન અને દહેરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ ટ્રેનોના વાંકાનેર સ્ટોપેજનું શુભારંભ કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વનીકુમારે તમામ લોકોનું સ્વાગત કર્યા બાદ મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે, વાંકાનેર વિસ્તારના લોકોની લાંબા સમયથી માંગ હતી કે, ઓખા-દહેરાદૂન અને દહેરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ ટ્રેનને વાંકાનેર સ્ટેશને સ્ટોપેજ આપવામાં આવે, જે આજે પૂર્ણ થઈ છે. હવેથી ટ્રેન નંબર ટ્રેન નંબર 19566 દહેરાદૂન-ઓખા ઉત્તરાંચલ સોમવારે સવારે 07.28 કલાકે વાંકાનેર સ્ટેશને આવશે અને સવારે 07.30 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 19565 ઓખા-દહેરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ દર શુક્રવારે વાંકાનેર સ્ટેશને 15.29 કલાકે આવશે અને 15.31 કલાકે ઉપડશે. જે સ્ટોપેજનો આજરોજ ભવ્ય શુભારંભ કરાયો હતો.
રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજરશ્રી અશ્વની કુમારે સાંસદ સભ્ય મોહનભાઈ તથા કેશરીદેવસિંહનો રેલવે સુવિધાઓ વધારવામાં સતત પ્રયત્નો અને સહકાર બદલ વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલકુમાર મીનાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન વાણિજ્ય નિરીક્ષક ઉષિજ પંડ્યાએ કર્યું હતું. આ સમારોહમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, જીજ્ઞાસાબેન મેર, રેલવેના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ, સામાજિક તથા રાજકીય અગ્રણીઓ, પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
બિલાસપુર થી પત્રકાર સુરક્ષા કાનૂન માટેના રાષ્ટ્રવ્યાપી અભિયાનની શરૂઆત કરવામાં આવી
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નું સાતમું રાષ્ટ્રીય અધિવેશન સંપન્ન : વીસ થી વધુ રાજ્યોના 800 જેટલા પત્રકારોની ઉપસ્થિતિ
ગાંધીનગર : દેશનાં સૌથી મોટા રજિસ્ટર્ડ પત્રકાર સંગઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નું છતીસગઢ ની ન્યાયધાની બિલાસપુર માં સાતમું રાષ્ટ્રીય...
અત્યાર સુધી ના ૫૦ કેમ્પમાં કુલ ૧૪૦૯૮ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું.
સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ- મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે...
વિચરતી વિમુક્ત જાતિ સમુદાયની શીબીર ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય NT-DNT બોર્ડ સભ્ય ભરતભાઈ પટણી રાજકોટની મુલાકાતે આવેલા તેમજ NT-DNT સમુદાય ના આગેવાનોની મિટિંગ રાજકોટ સર્કિટ હાઉસના હૉલમાં યોજવામાં આવેલી હતી. જેમાં રાજકોટ શહેર તથા રાજકોટ જિલ્લા, મોરબી જીલ્લાના વિચરતી વિમુક્ત જાતિઓના આગેવાનો તથા કાર્યકરો હાજર રહેલા...