મોરબી સામખિયાળી નેશનલ હાઇવે પર માળિયા મીયાણા તાલુકાના હરીપર ગામની હદમાં દેવ સોલ્ટ પાસે જાણે અકસ્માતમાં ગોળાઈ વહેલી સવારે બે ટ્રક વચ્ચે જીવલેણ અકસ્માત બન્યો હતો જેમાં બે લોકોના કમકમાતી ભર્યા મોત નીપજ્યા હતા.
બનાવની જાણ થતા માળિયા 108ની ટીમ તેમજ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી ગુન્હો નોધવા તપાસ હાથ ધરી હતી
બનાવની મળતી માહિતી મુજબ મોરબી-સામખિયાળી નેશનલ હાઈવે પર આવેલા માળિયા મિયાણાના હરીપર ગામ ની હદમાં દેવ સોલ્ટ પાસે વહેલી સવારે આર જે 9 જીડી ૬૪૬૩ નંબરના ટ્રકે પાછળથી જીજે ૩ બીવી ૯૯૯૮ નંબરની ટ્રકને ઠોકર મારતા ટ્રક ડીવાઈડર સાથે અથડાયો હતો બન્ને ટ્રક વચ્ચેનો ગમખ્વાર અકસ્માત જીવલેણ સાબિત થયો હતો. અને મૂળ એમપીના ધાર જિલ્લાના નરવીરસિંહ ઉ.વ 24 અને એમપીના ધાર જિલ્લાના વતની દિલીપભાઈ નામના યુવાનોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. એક ટ્રક બનાવની જાણ થતા મોરબી 108ની ટીમ તેમજ માળિયા મિયાણા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તેના વિરુધ્દ ગુન્હો નોધિ તપાસ હાથ ધરી છે
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...