મોરબીમાં ભૂગર્ભ નાં ઢાંકણા ની ક્વોલિટી પર ઉઠી રહ્યા છે વારંવાર સવાલો
મોરબી: મોરબી પાલિકા દ્વારા એકદમ નબળી ગુણવત્તા વાળા ભુગર્ભ ગટરના ઢાંકણા નાખવામાં આવતા હોય શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં ઢાંકણા તૂટી જવાની ફરિયાદો વારંવાર ઉઠવા પામી છે ત્યારે સતત વાહનોની અવરજવર વાળા મોરબીના મુન નગર વિસ્તારમાં વારે ઘડીએ ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટી જવાની ઘટનાઓ સામે આવે છે અને આ ઢાંકણાઓ તૂટી જતા ખુલ્લી ભૂગર્ભ ગટરોમાં અનેક વાહન ચાલકો ખાબકતા અકસ્માતો સર્જાય છે અને લોકોના હાથ પગ તૂટી જવા સુધીનાં બનાવો બનવા પામ્યા છે ત્યારે આ વિસ્તારમાંથી લોકોની માગણી ઉઠી છે કે અહીંથી મુનનગર ચોક થી આગળ અને આજુબાજુ રહેણાંક સોસાયટીઓ આવેલી હોય લોકો ની આવ જાવ માટે આ મુનનગર વિસ્તાર મુખ્ય રસ્તો હોય આ રસ્તા પર વારંવાર ભુગર્ભ ગટરના ઢાંકણા તૂટી જતા હોય આ સમસ્યાને ધ્યાનમાં રાખી કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલાં મોરબી પાલિકા દ્વારા મજબૂત અને સારી ગુણવત્તાવાળા ભૂગર્ભના ઢાંકણાઓ નાખવામા આવે અને આ મુખ્ય રસ્તા પર રાત્રે લાઈટો પણ ન હોય તો લાઈટો પણ નવી નાખવામાં આવે તેવી લોકો માંગણી ઉઠી છે
હળવદ તાલુકામાં મોટું જમીન કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે જેમાં ભેજાબાજોએ હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર, સુંદરીભવાની ગામના રેવેન્યુ રેકર્ડ ચાલતી સરકારની અલગ અલગ રેવન્યુ સર્વે નંબર વાળી જમીનનુ બનાવટી રેકર્ડ ઉભું કરી સરકારી જમીન પચાવી પાડી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ મામલતદાર અલ્કેશભાઈ પ્રફુલ્લ ચંદ્ર...
શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા સંચાલિત શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક, મોરબી દ્વારા મફત ફિઝીયોથેરાપી આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં આશરે ૩૦ જેટલા દર્દીઓએ લાભ મેળવ્યો હતો, જેમાં વિવિધ પ્રકારની ફિઝીયોથેરાપી સંબંધિત સમસ્યાઓ માટે નિદાન, સારવાર તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ફિઝીયોથેરાપી કેમ્પનું નેતૃત્વ ડૉ. હિરલ જાદવાની,...