વેણાસર ગામે સ્વ.નરેશભાઈ લાખાભાઇ ડાંગર ના સ્મરણાર્થે વૃક્ષારોપણ ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ માં વેણાસર ગામ માં આશરે ૫૦૦ જેટલા વૃક્ષો નું વિતરણ તેમના પરિવાર ના કનુભાઈ ડાંગર દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં પર્યાવરણ પ્રેમી બાલા સાહેબ તેમજ વેણાસર ગામ ના સરપંચ અરજણભાઇ તેમજ અન્ય આગેવાનો એ જહેમત ઉઠાવી હતી અને આશરે ૫૦૦ જેટલા છોડવા નું વિતરણ કરી સમાજ માં અનેરો દાખલો પૂરો પાડ્યો હતો.
