મોરબી: ૨૦૨૨ ની ચુંટણીમાં વાંકાનેરમાં આમ આદમી પાર્ટીના પૂર્વ ઉમેદવાર અને અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ વિક્રમ સોરાણી ૨૯ એપ્રીલે ભાજપના અધ્યક્ષ પાટીલની ઉપસ્થિતિમાં કેસરીયા કરી ભાજપમાં જોડાશે.
ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદી વિચારધારા તેમજ રામમંદિર, ૩૭૦ કલમ જેવા અનેકો સત્કાર્યોથી પ્રેરાઇ યથાશક્તિ પ્રમાણે યોગદાન આપવાના સંકલ્પ સાથે ૨૦૨૪ લોકસભાની ચુંટણીમાં અખિલ ભારતીય કોળી સમાજના યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ અને શિવાજી સેનાના પ્રમુખ વિક્રમભાઈ સોરાણી વિશાળ સમર્થકોના મહાસાગર સાથે આગામી તારીખ ૨૯/૦૪/૨૦૨૪ ને સોમવારના રોજ સાંજે ૫-૦૦ કલાકે સ્થળ અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલ રાજકોટના રામપરા (બેટી) ગામે ખાતે ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલની પ્રેરણાદાયી ઉપસ્થિતીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ કેસરીયા કરશે.
મોરબી જિલ્લા હોમગાર્ડઝના ટંકારા યુનિટ ખાતે ફરજ બજાવતા હોમગાર્ડઝ સભ્ય સ્વ. હિતેન્દ્રસિંહ ભરતસિંહ ઝાલાનું તા.૨૪/૧૦/૨૦૨૪ ના રોજ અવસાન થતા. જિલ્લા કમાન્ડન્ટ ડિ.બી.પટેલની ભલામણને આધારે મે.ડાયરેક્ટર જનરલ, હોમગાર્ડઝ હેડક્વાર્ટર, અમદાવાદ દ્વારા હોમગાર્ડઝ કલ્યાણનિધિમાંથી રૂ.૧,૫૫,૦૦૦/-(એક લાખ પંચાવન હજાર) ની ફરજ સિવાય સામાન્ય સંજોગોમાં અવસાન સહાય મંજુર કરવામાં આવી છે.
જે અન્વયે સ્વ....
આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય તથા નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરની સુચના તથા મોરબી જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન અન્વયે જિલ્લા પંચાયત- આયુર્વેદ શાખા, મોરબી દ્વારા મોરબી જિલ્લામાં તા. ૨૩-૦૯-૨૦૨૫ના રોજ સવારે ૯:૦૦ થી ૪:૦૦ દરમિયાન પટેલ સમાજ વાડી, બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ (આયુર્વેદ -હોમી. નિદાન સારવાર-કેમ્પ)"નું આયોજન...
મોરબી જિલ્લાની રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૧૮-૦૯-૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આઈ.ટી.આઈ.-મહેન્દ્રનગર, હળવદ રોડ, મોરબી ખાતે મોરબી તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક / એસએસસી /...