વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના વિવિધ ક્ષેત્રે ઉપયોગી એવા કારીગરોના લાભાર્થે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના અમલમાં મૂકવામાં આવી છે.
જે અંતર્ગત તારીખ 17/12/2023 ને રવિવારે સવારે 9:00 વાગ્યે થી બપોરે ના 1:00 વાગ્યા સુધી સતવારા જ્ઞાતિ ની વાડી,રામજી મંદિર પાછળ, માધાપરા, મોરબી ખાતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મોરબી ના સહકાર થી સમસ્ત મોચી સમાજ ના ભાઈઓ માટે પીએમ વિશ્વકર્મા કૌશલ યોજના રજિસ્ટ્રેશન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ જેમાં અંદાજે 70 થી વધુ ભાઈ બહેનો નું આ યોજનાનો લાભ અપાવવા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા જાગા સ્વામિ મિત્ર મંડળ મોચી સમાજ મોરબી ના પ્રમુખ ઈશ્વરભાઈ રાઠોડ,તેમજ કાંતિભાઈ રાઠોડ તથા દિલીપભાઈ પરમાર, રાજુભાઈ પરમાર,બળવંતભાઈ વાઘેલા,નાથાભાઈ ઝાલા, તથા સર્વે જ્ઞાતિજનો નો સહકાર મળેલ.
ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે વાડીએ પાણીની પાઈપલાઈન બાબત એક જ કુટુંબના બે પરિવાર વચ્ચે માથાકુટ થતા બંને પરિવારો દ્વારા સામ સામે છુટા હાથની મારામારી કરી ટંકારા પોલીસ મથકમાં સામસામે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રહેતા અને હાલ રાજકોટના સેટેલાઈટ ચોકમાં ઇન્દ્રપ્રસ્થ-૦૨ શેરી નં -૦૪મા...
મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી પાસે વેપારી યુવક પોતાની ઓફિસે બેઠા હોય ત્યારે ત્રણ શખ્સોએ ફોન કરી એક શખ્સે રાજ્યસેવકનુ ખોટુ નામ ધારણ કરી વેપારી સાથે ફોનમા વાતચીત કરી ડરાવી ધમકાવી રૂપીયાની લેતીદેતી બાબતનો પ્રશ્ન સોલ્વ કરાવી આપવાના બહાને વેપારી સાથે ખોટા નામથી છેતરપીંડી કરી રૂ. ૩૦૦૦૦ પડાવ્યા હોવાની વેપારી...
મોરબીના શનાળા ગામના પાટીયા પાસે ગોડાઉનમાં તથા ટંકારાના લજાઈ પાસેથી ગોડાઉનમાંથી પકડાયેલ વિદેશી દારૂના ગુનાના બે આરોપીઓને રાજસ્થાન રાજ્યના જાલોર તથા બાડમેર જિલ્લા ખાતેથી મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા છે.
સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર દ્વારા ગઇ તા.૨૩ જાન્યુઆરી ના રોજ ટંકારાના લજાઇ જી.આઇ.ડી.સી.માં શ્રી સંકલ્પ ગોડાઉનની સામે આવેલ બંધ ગોડાઉનમાંથી...