રાજકોટ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી દ્વારા ગઇકાલ સાંજે વાંકાનેર શહેર ખાતે આવેલ મુસ્લિમ સમાજની આસ્થાના પ્રતિક સમા હઝરત પીર સૈયદ મીરૂમીયા બાવા દરગાહની 101માં ઉર્ષના મોકા પર મુલાકાત લઈ તાજેતરમાં જ વફાત થયેલ પુર્વ ધારાસભ્ય અને મુસ્લિમ સમાજના ધર્મગુરૂ હઝરત પીર સૈયદ ખુર્શીદહૈદર પીરઝાદા ઉર્ફે મીર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ સાથે જ દરગાહની મુલાકાત બાદ પરેશ ધાનાણી દ્વારા શહેર નજીક આવેલ વેલનાથ બાપુ – માંધાતા બાપુ મંદિર ખાતે દર્શન કરવા પહોંચ્યા હતા, જ્યાં મંદિર પરિસરમાં કોળી સમાજના આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, આ સાથે વાંકાનેર કરણી સેનાના અને ક્ષત્રિય સમાજના આગેવાનો પણ અહીં પહોંચી પરેશ ધાનાણીનું ફુલ-હારથી સન્માન કરતા રાજકીય હલચલ તેજ બની છે.
મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી-૨૦૨૫ હેઠળના વિસ્તારમાં ચૂંટણી માટેના ઉમેદવારી પત્રો રજૂ કરવા સમયે ઉમેદવારો મોટી સંખ્યામાં કાર્યકરો, ટેકેદારો અને સમર્થકો સાથે ઢોલ નગારા અને વાહનોની મોટી સંખ્યા લઇ ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર રજૂ કરવા આવે છે. જેના કારણે ચૂંટણીના સરળ સંચાલન માટે રાજય ચૂંટણી...
મોરબીના લાતી પ્લોટ મેઈન રોડ ઉપર લાતી પ્લોટ શેરી નં -૧૨ માથી ધોબી શેરી તરફ જતા રસ્તામાં સિ.એન.જી. રીક્ષામાંથી વિદેશી દારૂની ૪૮ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ...