એક તરફ વિકાસ ની વાતુંની વણજાર થઈ રહી છે તો બીજી તરફ ગોતીલો ગોતીલો વિકાસ ગોતીલો જેવો ઘાટ સર્જાયો છે
મોરબીના તખ્તસિંહજી રોડ થી ગાંધીચોક સુધી રોડ પર વરસાદી પાણી અને દુર્ગંધ યુક્ત ગટરના પાણી થી અનેક વેપારીઓને અને વાહન ચાલકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે.
ત્યારે આજે સાંજના સમયે મોરબી શહેર કોંગ્રેસ ની ટીમ આ રોડ પર પહોચી હતી અને મોરબીનાં વેપારીઓ નાં પ્રાણપ્રશ્ને મુલાકાત કરી નગરપાલીકા નાં વહીવટ દાર સાથે ટેલીફોનીક વાતચીત દરમ્યાન આવતીકાલે આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે સહમતી દર્શાવી અને જો ૩ દિવસ માં પ્રશ્ન હલ નહીં થાય તો શહેર કોંગ્રેસ દ્વારા વેપારીઓ ને સાથે રાખી આવેદનપત્ર આપવામા આવશે તેવું મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું
મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લામાં તમામ જરૂરિયામંદ લોકોને બેંકો મારફતે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના તથા અટલ પેન્શન યોજનાના લાભ મળે તે માટે નાણાકીય સમાવેશ સંતૃપ્તિ અભિયાનની અસરકારક અમલવારી માટે જિલ્લાના ઉદ્યોગપતિઓ તથા વિવિધ એસોસિએશન સાથે બેઠક યોજી હતી.
આ બેઠકમાં...
મોરબીના નવલખી રોડ પર કોલસો ભરીને ચાલતા ટ્રક અને ગ્રામજનો આ રોડ ના ઉપયોગ કરે છે. આ રોડ પર ખૂબ જ મોટા પ્રમાણમાં ખાડાઓ પડી ગયેલ હોય અને આ રોડ પર આશરે 25 ગામના લોકો ની અવરજવર રહેતી હોય અવારનવાર ગંભીર અકસ્માતો આ ખાડાઓના લીધે બનતા હોય છે અને...
આમ આદમી પાર્ટી મોરબી દ્વારા શહેર ની અંદર ચાલતા નાના અને સામાન્ય ધંધાઓ જેવાકે ખાણી પીણી સાથે સંકળાયેલા વેપારો કે જે મોટે ભાગે માધ્યમ અને નાના ધંધાર્થી ચલાવતા હોય છે. આવા વ્યવસાયો રાત્રિના 11 થી 12 વાગ્યા દરમિયાન પોલીસ તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવે છે અને પોલીસ સ્ટાફ દ્વારા...