યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના ફેમ એક્ટર કરણ મહેરા અને તેની પત્ની નિશા રાવલના સંબંધોમાં ચાલી રહેલ અણબનાવની ચર્ચાએ અલગ જ વળાંક લીધો છે, જે ખુબ જ ચોંકાવનારો છે. પત્ની સાથે મારપીટ કરવા બદલ પોલીસે કરણ મહેરાની ધરપકડ કરી છે. સમાચાર એજન્સીએ પુષ્ટિ આપી હતી કે કરણ મહેરાની આજે મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. પત્ની નિશાએ કરણ સામે મુંબઈના ગોરેગાંવ ખાતે ગુનો નોંધ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે કરણની ધરપકડ કરી છે. સ્પોટબોયના જણાવ્યા મુજબ કરણ અને નિશા વચ્ચે ગઈકાલે રાત્રે (31 મે) કોઈ બાબતને લઈને ઝઘડો થયો હતો જે પછી અભિનેતાએ ગુસ્સામાં તેની પત્ની સાથે મારપીટ મારી હતી અને તેમના કપાળ પર ટાંકા આવ્યા હતા. નિશાએ કરણ વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ નોંધ્યો છે. તમને જણાવી દઈએ કે કરણ મહેરા અને નિશા રાવલ ટીવી ઇન્ડસ્ટ્રીમાં સૌથી શાનદાર અને સુંદર દંપતી માનવામાં આવે છે. બંને વચ્ચે ઓનસ્ક્રીન હોય કે ઓફસ્ક્રીન ખૂબ જ સારું બોન્ડિંગ જોવા મળતું હતું. પરંતુ તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે કરણ અને નિશાની દાંપત્યજીવનમા ખટપટ શરૂ થવા લાગી છે. પરંતુ નિશા રાવલે આવી બધી અફવાઓને સ્પષ્ટ પણે નકારી કાઢી હતી અને કહ્યું હતું કે અમારી વચ્ચે બધું બરાબર છે. હવે કરણની ધરપકડથી સ્પષ્ટ થઈ ગયું છે કે દંપતી વચ્ચે અણબનાવ છે. બંનેએ અત્યાર સુધી આ અહેવાલો વિશે ખુલ્લેઆમ વાત કરી ન હતી પરંતુ હવે આ મામલો ખુલીને બહાર આવ્યો છે. જણાવી દઈએ કે કરણ મહેરા અને નિશા રાવલની મુલાકાત 2008માં આવેલી ફિલ્મ ‘હંસતે હંસતે’ના સેટ પર થઈ હતી. કરણ મહેરા તે ફિલ્મમાં સ્ટાઇલિસ્ટ તરીકે કામ કરી રહ્યો હતો. અભિનેતા હોવાની સાથે કરણ મહેરા ફેશન ગ્રેજ્યુએટ પણ છે. નિશાને જોતા જ કરણ મહેરા તેના પ્રેમમાં પડી ગયો હતો. બંનેએ થોડા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા પછી ૨૦૧૨ માં લગ્ન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે સૌથી લાંબા સમયથી ચાલતા ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં નૈતિક સિંઘાનિયાનો મુખ્ય રોલ ભજવીને અભિનેતા કરણ મહેરાએ ટીવીની દુનિયામાં સૌથી લોકપ્રિય ખ્યાતિ મેળવી હતી.
‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના ફેમ એક્ટર કરણ મહેરાની મુંબઈ પોલીસે ધરપકડ કરી, કારણ જાણીને ચાહકોને લાગશે આંચકો.
વધુ જુઓ
સુશાંત સિંહ રાજપૂતે 2019માં અચાનક તમામ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી, જાણો તેની પાછળનું કારણ.
બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતને એક વર્ષ પૂર્ણ થવામાં માત્ર ૪ દિવસ બાકી છે અને આ કેસની તપાસ હજી ચાલુ છે. સુશાંતે ગયા વર્ષે 14 જૂન, 2020ના રોજ વિશ્વને વિદાય આપી હતી. આટલા સમય પછી પણ તેના ચાહકોને વિશ્વાસ કરવો ખૂબ મુશ્કેલ લાગી રહ્યો છે કે તે હવે...
કેટરીના કૈફ અને વિકી કૌશલ રિલેશનશિપમાં છે ? આ વાતની પુષ્ટિ આ અભિનેતાએ આપી.
બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ અને વિકી કૌશલ વચ્ચે ચાલી રહેલ પ્રેમની ચર્ચાઓ છેલ્લા ઘણા મહિનાઓથી થઇ રહી છે, જોકે બંને વચ્ચેના સંબંધોની પુષ્ટિ થઈ નથી. કેટરિના કે વિકી કોઈ પણ તરફથી પણ આની હજુ કંઇ પણ પુષ્ટિ થઈ નથી. પરંતુ હવે એક ફિલ્મ અભિનેતાએ બંને વચ્ચેના સંબંધની પુષ્ટિ કરી...
Netflix પર ઓગસ્ટમાં ‘ધમાકા’ કરી શકે છે કાર્તિક આર્યન, જાણો સંપૂર્ણ વિગતો.
બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન હાલ પોતાની ફિલ્મોને લઈને ચર્ચામાં જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં કાર્તિકના હાથમાંથી કેટલાક મોટા પ્રોજેક્ટ છૂટી ગયા છે પરંતુ તેના હાથમાં હજી પણ કેટલીક ફિલ્મો છે જેની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મોમાંથી એક ફિલ્મ છે રામ માધવાનીની 'ધમાકા'. 'ધમાકા' ઘણા...