મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા ટેકનોલોજીની મદદથી ખોવાઇ ગયેલ મોબાઈલ શોધી આપી સરાહનીય કામગીરી કરવામાં આવી હતી
જાણવા મળતી વધુ વિગતો મુજબ મોરબીમાંથી રૂ ૧.૧૧ લાખની કિંમતના ખોવાયેલા 6 મોબાઈલ બી ડિવિઝન પોલીસ દ્વારા આપવામાં આવ્યા હતા અને તે મૂળ માલિકને પરત કર્યા હતા મોરબી સીટી બી ડીવીઝન પીઆઈ પી એ દેકાવાડીયાના માર્ગદર્શન હેઠળ અરજદારોના ખોવાયેલા મોબાઈલ શોધી કાઢવા ટીમ કાર્યરત હોય દરમીયાન બી ડીવીઝન પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના પ્રદીપસિંહ ઝાલાની ટીમે ટેકનીકલ વર્ક આઉટ કરી ઓપો, વિવીઓ અને શાઓમી કંપનીના છ મોબાઈલ શોધી કાઢ્યા હતા અને ૧.૧૧ લાખની કિમતના છ મોબાઈલ શોધીને મૂળ માલિકને પરત સોપ્યા હતા ત્યારે અરજદારોએ પણ પોલીસ ટીમનો આભાર માન્યો હતો
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે ત્યારે મોરબીના સબરજીસ્ટ્રાર બીપીનભાઈ જોબનપુત્રા પરિવાર દ્વારા પૂ. જલારામ બાપાની મહાઆરતી તેમજ સદાવ્રત માં મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો.
આ તકે સબ રજીસ્ટ્રાર બીપીનભાઈ જોબનપુત્રા, નિવૃત...
હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા યુવકને પિતાએ કામ ધંધા બાબતે ઠપકો આપતાં મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા અજયભાઈ માનસંગભાઈ સોઢા (ઉ.વ.૩૪) નામનો યુવક કોઈ કામ ધંધો કરતો ન હોય જેથી તેના પિતાએ તેને કામ ધંધો કરવાનું કહેલ...