રક્તદાતાઓ નેં ખોખરા હનુમાનજી ની પ્રતિમા ભેંટ આપવામાં આવશે
મોરબી : મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામ ના માજી સરપંચ સ્વ: અશ્વિનભાઈ બોપલીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતીથી નિમિતે બોપલીયા પરિવાર દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવા સત્સંગ સંધ્યા અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સત્સંગ સંધ્યા તા.3ને મંગળવારના રોજ રાત્રે 8 કલાકે CNG પંપ ગ્રાઉન્ડ, મહેન્દ્રનગર ખાતે અને બ્લડ ડોનેશન કેમ્પ સવારે 8:30 કલાકે યોજાશે.
માજી સરપંચ, મહેન્દ્રનગરના વરિષ્ઠ આગેવાન તેમજ સેવાકીય કાર્યોમાં પોતાનું સંપૂર્ણ જીવન કાર્યો કરીને પ્રજાના હૃદયમાં સ્થાન મેળવનાર સ્વર્ગસ્થ અશ્વિનભાઈ બોપલિયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બોપલિયા પરિવાર તેમજ મહેન્દ્રનગરના યુવાનો દ્વારા સત્સંગ સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં કનકેશ્વરીદેવી તથા સંતોની હાજરીમાં લોકપ્રિય ભજનિક શૈલેષ મહારાજ, વિવેક સંચલા તેમજ યુવા સાહિત્યકાર રવીન્દ્ર સોલંકી શ્રદ્ધાસુમન અર્પણ કરશે. સાથોસાથ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી જીલ્લાના બે ગુન્હા તથા પાટણ જીલ્લાના સમી પોલીસ સ્ટેશનનો એક ગુન્હો મળી કુલ ત્રણ પ્રોહિબીશનના ગુન્હામાં નાશતા ફરતા વોન્ટેડ આરોપીને મોરબી રવિરાજ ચોકડી પાસેથી મોરબી પેરોલ-ફર્લો સ્કોડ/એલ.સી.બી. ટીમે ઝડપી પાડયો છે.
મોરબી પેરોલ-ફર્લો સ્કોડ તથા એલ.સી.બી. ટીમને સંયુકતમાં ખાનગી રાહે બાતમી મળેલ કે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં તથા પાટણના...
મોરબી જિલ્લામાં ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી કરાવવા સારૂ વાહન ચેકિંગ ડ્રાઇવ રાખવા આવેલ જેથી મોરબી જીલ્લામાં તા.૧૪ મેં થી તા.૧૬ મેં સુધી "હાઇવે ઉપર રોંગ સાઇડ ચાલતા ભારે વાહન ચેકિંગ ડ્રાઇવ” રાખેલ અને આ ડ્રાઇવ દરમ્યાન મોરબી જીલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોંગ સાઇડ ચાલતા વાહનો તથા વાહનમાં માલ-|સામાન ભરેલ...
ભારતનાં પાકિસ્તાન સામે આતંકવાદનાં વિરોધમાં ભારતીય સેનાની ત્રણે પાંખના સૈનિકો દ્વારા અપાયેલ મુંહ તોડ જવાબ " ઓપરેશન સિંદુર" નાં શૌર્યતા સભર સાહસનેં બિરદાવવા ભારતભરમાં " તિરંગા યાત્રા" દ્વારા લોકો પણ સૈનિકોમાં ઉત્સાહ વધારી રહ્યાં છે.
સાહસ, શૌર્ય અને પરાક્રમનાં આ ગુણો બાળકોમાં પણ ઉતરે, દેશ પ્રેમમાં વધારો થાય એ હેતુસર...