મોરબી જીલ્લા કક્ષાનો કાર્યક્રમ ૩૧મી મેના રોજ યોજાશે : વિવિધ ૧૩ યોજનાઓના ૨૨૦૦ જેટલા લાભર્થીઓને લાભ અપાશે
મોરબી : કલેક્ટર જે.બી.પટેલના અધ્યક્ષસ્થાને આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે ૩૧મી મેના રોજ યોજાનાર કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે કલેક્ટર કચેરી મોરબી ખાતે બેઠક યોજાઈ હતી.
ઉલ્લેખનિય છે કે, આગામી ૩૧મી મેના રોજ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ૧૩ યોજનાઓના લાભાર્થીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી શિમલા ખાતે હાજર રહી તેમજ અન્ય સ્થળોએ વર્ચ્યુઅલી સંવાદ કરવાના છે ત્યારે તેને સંલગ્ન તમામ રાજ્યોમાં રાજ્ય કક્ષા તેમજ જિલ્લા કક્ષાએ પણ કાર્યક્રમો યોજાનાર છે જે અન્વયે મોરબી ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તકે કલેક્ટર જે.બી.પટેલે વિવિધ વિભાગની ૧૩ યોજનાઓના લાભાર્થીઓને સાંકળીને ૨૨૦૦ જેટલા લાભાર્થીઓને લાભ અપાય તેવી વ્યવસ્થા કરવા સંલગ્ન વિભાગોને તાકીદ કરી હતી. આ ઉપરાંત લાભાર્થીઓ સિવાય સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનો, તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તેમજ જિલ્લાના તમામ પદાધિકારીઓને આ કાર્યક્રમનો હિસ્સો બનાવવામાં આવે તેવી સુચના આપી હતી.
વિવિધ યોજનાઓના લાભથી વંચિત રહી ગયેલ લાભાર્થીઓને લાભ પહોંચાડવાના હેતુથી યોજાનાર આ કાર્યક્રમમાં સરકારના વિવિધ વિભાગની યોજનાઓ જેવી કે, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ અને શહેરી), પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધિ, પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના, પોષણ અભિયાન, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, સ્વચ્છ ભારત મિશન(ગ્રામિણ અને શહેરી), જલ જીવન મિશન અને અમૃત, પ્રધાનમંત્રી સ્વનીધિ, વન નેશન વન રેશનકાર્ડ, આયુષ્યમાન ભારત પીએમ જન આરોગ્ય યોજના, આયુષ્યમાન ભારત હેલ્થ અને વેલનેસ સેન્ટર, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના મળી એમ કુલ ૧૩ યોજનાઓને આવરી લેવામાં આવી છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, અધિક જિલ્લા કલેક્ટર એન.કે.મુછાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક મિતાબેન જોશી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ, એ.એસ.પી. અતુલ બંસલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એમ.કતીરા, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, વાંકાનેર પ્રાંત અધિકારી એ.એસ.શેરસિયા, જિલ્લા પૂરવઠા અધિકારી દેવાંગ રાઠોડ અને મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા તેમજ વિવિધ સંલગ્ન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.
મોરબી: શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત બાલસભા, પર્યાવરણ જાગૃતિ માટે રેલી તથા વિવિધ રમતોનું આયોજન કરવામાં આવેલ.
જેમાં બાલવાટિકા તથા ધો. 1 થી 8 સુધીના તમામ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો તેમાં પ્રથમ શાળાનાં શિક્ષક ચિકાણી રમણિકલાલ દ્વારા બાળકોને વિવિધ...
મોરબી જીલ્લાના એક દર્દી જેમની ઉમ્ર 55 વર્ષ છે જેમને બેભાન હાલત માં આયુષ હોસ્પિટલ ખાતે ઈમરજન્સી માં લાવવામાં આવ્યા હતા. જ્યાં ડૉ. ઉત્તમ પેઢડીયા સાહેબ કે જે જનરલ ફીઝાશિયન તેમજ ક્રીટીકલ સ્પેશિયાલિસ્ટ છે. તેમને દર્દી ની તપાસ કરતા તેમજ દર્દી ના સગા ને દર્દી ની જાણકારી પુછતા જણાયું...
મોરબીના પંચાસર રોડ પર આવેલ રાજનગર સોસાયટી ખાતે રાજનગર યુવા ગ્રુપ દ્વારા આજે રવિવારના રોજ શ્રી હરસિધ્ધ હનુમાનજી મંદિર ખાતે ૧૭૦૦ જેટલા અલગ અલગ ફુલ, ફળ અને છોડ નું વિતરણ કરાયું હતું.
જેમાં ૯૫૦ થી વધુ લોકોએ લાભ લીધો હતો. સવારે ૮:૩૦ થી રોપા લેવા માટે લોકોનો ભારે ઉત્સાહ જોવા...