શ્રી મોરબી માળિયા તાલુકા ઉમિયા પરિવાર સમુહ લગ્ન સમિતિ મોરબી આયોજિત
ચોવીસમો સમુહ લગ્નોત્સવ યોજાયો હતો
અખાત્રીજ પર્વ નિમિતે વણજોયું મુર્હુત કહેવાય છે આ દિવસે કરાતાં કોઈ પણ માંગલિક કાર્યો યોગ ગ્રહ નક્ષત્ર વગેરે જોવાની જરૂર રહેતી નથી આથીજ આ દિવસે સૌથી વધું લગ્નોત્સવ નાં આયોજનો થાય છે ત્યારે શ્રી માળિયા મોરબી તાલુકા ઉમિયા પરિવાર દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે આ સમૂહ લગ્નોત્સવ મોરબીના જોધપર ગામ ખાતે આવેલ કડવા પાટીદાર વિધાર્થી ભુવન ખાતે યોજાયું હતું.આજે યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં 12 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. સમૂહ લગ્નોત્સવ સાથે સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન કર્યું,જેમાં રક્તદાતાઓએ રક્તદાન પણ કર્યું હતું.આ લગ્નોત્સવમાં નવ યુગલોને આશીર્વાદ આપવા બગથળા ખાતે આવેલ નકલંક ધામના મહંત દામજી ભગત,મંત્રી બ્રીજેસ મેરજા,વેલજીભાઈ બોસ, વલમજીભાઇ પટેલ, બેચરભાઈ હોથી સહિતના અનેક આગેવાનો હાજર રહ્યા હતા અને નવ યુગલોને આશીર્વાદ આપ્યા હતા
સમુહ લગ્નોત્સવને સફળ બનાવવા માળિયા મોરબી તાલુકા ઉમિયા પરિવાર સમૂહ લગ્નોત્સવ સમીતિના ડો મનસુખભાઈકૈલા,ઉપપ્રમુખ મણીલાલ સરડવા,જયંતિલાલ પડસુમ્બિયા,મંત્રી જયંતિલાલ વિડજા,સહમંત્રી કમલેશભાઈ કૈલા ખજાનચી ઈશ્વરભાઈ સબાપરા, વિનોદભાઈ કૈલા ઉપરાંત મોરબી માળિયા તાલુકાના ગામમાં રહેતા યુવાનો અને સ્વયં સેવકોએ જહેમત ઉઠાવી હતી
વિદ્યાર્થીઓમાં નૈતિકતા અને સંસ્કાર જેવા મૂલ્યોની ખીલવણી થાય એ માટે લખધીરગઢ પ્રાથમિક શાળાએ મોરબી શહેરમાં આયોજિત દાદા ભગવાનની ૧૧૮ મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલા પ્રદર્શન "જોવા જેવી દુનિયા"પ્રદર્શનનો લાભ લઈ આજના વિદ્યાર્થી આવતીકાલના ઉત્તમ નાગરિક બને એ માટનો સરાહનીય પ્રયાસ કર્યો.
આ પ્રદર્શનનો હેતુ વિદ્યાર્થીઓ અને સમાજમાં નૈતિકતા, સંસ્કાર તથા માનવીય...
બાળકોનાં ઉજ્જવલ ભવિષ્યને ધ્યાનમાં લઈ નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સના વિધાર્થીઓ માટે “ધોરણ 12 પછી શું?” એ વિષય પર કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના Dr ધવલ વ્યાસ સર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા. જેમણે ધોરણ 12 પછીના વિવિધ કારકિર્દી વિકલ્પો અંગે...