મોરબી: એક રહેણાંક મકાનને તસ્કરે નિશાન બનાવી અધધધ 1100 ગ્રામ સોનુ અને રૂ. 15 લાખ રોકડાની તસ્કરીને અંજામ આપ્યો છે. જો કે ચોકીદારી કરતો શખ્સ પણ ગાયબ હોય, શંકાના દાયરામાં આવ્યો છે.હાલ આ મામલે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે.
મોરબી કાયાજી પ્લોટ મેઈન રોડ ઉપર રહેતા હિમાંશુભાઈ ચંદ્રકાંતભાઈ ચંડીભમર પરિવાર સાથે ગઇકાલે રાજકોટ પ્રસંગમાં ગયા હતા. તેઓ આજે ઘરે પરત આવ્યા હતા. જે દરમીયાન તેઓને માલુમ પડ્યું કે ઘરમાં ચોરી થઇ હતી. ચોર 1100 ગ્રામ સોનાના દાગીના અને રૂ. 15 લાખ રોકડા ઉઠાવી ગયા હતા. આ સાથે ચોર સીસીટીવીનું ડીવીઆર પણ પોતાની સાથે લઈ ગયાનું ધ્યાને આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે પ્રસંગમાં જવાનું હોય પરિવારે લોકરમાંથી દાગીના કાઢ્યા હતા. પણ તે દાગીના ઘરે જ રહી ગયા હોય, ચોરે મોકો જોઈને ઘરને નિશાન બનાવ્યું હતું. ઉપરાંત હાલ ઘરની ચોકીદારી કરતો શખ્સ પણ ઘરે હાજર ન હતો એટલે તે શંકાના દાયરામાં છે. હાલ આ મામલે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે.
માળીયા મીયાણા તાલુકાના નવાગામની સીમમાં આવેલ કૂવામાં પડી ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ માળીયા મીંયાણામા કોળીવાસમા રહેતા ગોવિંદભાઈ અરજણભાઇ વાઘેલા (ઉ.વ.૪૦) નામનો યુવક માળિયા તાલુકાના નવાગામ સીમમાં આવેલ કૂવામાં કોઈ કારણસર પડી ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે માળિયા તાલુકા પોલીસે મૃત્યુ...
મોરબી શહેરમાં આવેલ પાવન પાર્કમાં રહેતા સામાજિક કાર્યકરે હાથ ઉછીના રૂપિયા આપેલ હોય જે લેવા કુમાર ઇન્ડસ્ટ્રીઝ ખાતે ગયેલ હોય બાદ પરત ફરતા મોરબીના લાલપર ગામની સીમમાં આવેલ કેલ્વિન એન્ટરપ્રાઈઝ પાસે જાહેર રોડ પર ચાર શખ્સોએ સામાજિક કાર્યકરને લાકડાની હોકી વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ...