મોરબી: શહેરને મહાનગરપાલિકાને દરરજો મળે તેવી સરકરમાં રજુઆત કરાઈ ! વિવિધ પ્રશ્ને લેખિતમાં માંગણી
મોરબીમાં જુલતા પુલ દુર્ધટનાની જવાબદારી ગણીને મોરબી નગર પાલિકાને સુપરસીડ કરવામાં આવેલ છે. જોકે નગર પાલિકા સુપરસીડ કરવા છતાં કોઈ પણ નગરસેવેકો કે પદાધિકારીઓ સામે કોઈ કાનૂની પગલા લેવામાં આવેલ નથી તે આશ્ચર્યજનક છે. જો નગર પાલિકાને જવાબદાર ગણી ને સુપરસીડ કરવામાં આવતી હોય તો તેના નગર સેવકો કે પદાધિકારી ઓ જવાબદાર કેમ નથી ? તો આ બાબતે જવાબદારો સામે કાનૂની કાર્યવાહી કરવા પણ અમારી માંગણી છે.
બીજું કે મોરબી નગર પાલિકા ગુજરાતમા એ ગ્રેડની નગર પાલિકા માંહેની એક છે. અને તેને પહેલા મહાનગર પાલિકા માં ફેરવવા માં આવનાર છે. તેવું સંભાળવામાં આવેલ હતું. તો અમારી માંગણી છે કે મોરબી નગરપાલિકાને મહાનગર પાલિકામાં ફેરવવામાં આવે.
હાલમાં મોરબી ઘણા પર્શ્નો અને સમસ્યાઓ થી ઘેરાયેલું છે. જો મહાનગરપાલિકા બનાવવામાં આવે તો ઘણા પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ ઘરઆંગણે શક્ય બને તેમ છે.
(૧) આધુનિક ફાયર સ્ટેશન બનાવવા માટે જો મહાનગર પાલિકા બને તો તેની સુવિધા મોરબી ને તાત્કાલિક મળે. હાલ માં મોરબી માં આધુનિક સાધનો અને સુવિધા થી સજ્જ ફાયર સ્ટેશન ન હોવાથી ઘણી મુશ્કેલી ઓનો સામનો કરવો પડે છે. નગર પાલિકા પાસે સુવિધા ના હોવાના કારણે પ્રાઇવેટ એપાર્ટમેંટ વાળાઓ ને પોતાની ફાયર સુવિધા કરવા માટેની નોટીસ પણ નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ છે. જે કામ નગરપાલિકા ની જવાબદારી છે. તે લોકો ઉપર થોપવામાં આવી રહ્યું છે. (૨) મોરબીમાં ટ્રાફિકની મોટી સમસ્યા છે અને મોરબીમાં એક પણ ઓવરબ્રીજ નથી જો મહાનગર પાલિકા બને તો આવી સુવિધાઓ તાત્કાલિકના ધોરણે મળતી થાય.
(૩) અનિયમિત બાંધકામો ઉપર કોઈ નિયત્રણ નથી જો મહાનગરપાલિકા બને તો પુરતો સ્ટાફ આવે અને આ બાબતે નિયમન થઇ શકે. (૪) મોરબી ની આજુબાજુ ના ગામો હાલ માં મોરબી નો જ એક ભાગ બની જવા પામેલ છે પરંતુ તેનો સમાવેશ નગર પાલિકા માં કરવા માં આવેલ ન હોવાથી જે તે પંચાયત બોડી દ્વારા ઘણી અનિયમિતા ઓ થઇ રહી છે. અને લોકો ને યોગ્ય સુવિધાઓ મળતી નથી, તો મોરબી ને ફરતા ગામો જેવા કે રવાપર, શનાળા, વાવડી, અમરેલી, મહેન્દ્રનગર, ત્રાજપર, ભડિયાદ, લીલાપર. વગેરે ને ભેળવીને મહાનગર પાલિકા બનાવવા અમારી માંગણી છે. તો આ બાબતે વહેલાસર યોગ્ય કાર્યવાહી કરવા કાન્તિલાલ ડી. બાવરવા જનરલ સેક્રેટરી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન સરકારમાં રજુઆત કરેલ છે.