આરોપીઓ એ મિતાણા ગામના વ્યકતિને પણ ખંડણી માટે ફોન કરી ધમકી આપી હતી
મોરબીમાં હત્યાનો સિલસિલો યાથવત છે ત્યારે ફિલ્મોને પણ ટક્કર આપે તેવી રીતે હત્યાને અંજામ આપવા કાવતરું ઘડવામાં આવ્યું હતું અને આ કાવતરું એટલું ખતરનાક હતું કે રીઢા ગુનેગારો અને પોલીસ પણ ચકરાવે ચડી જાય તેમ છતાં મોરબી પોલીસની સતર્કતાને કારણે આ હત્યાના આરોપીને પકડવામાં પોલીસ સફળ થઈ હતી.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ મોરબીના ટંકારા તાલુકામાં
પાન મસાલાના હોલસેલ વેપારીને તારીખ 6-4 ને બુધવારના બપોરે 4 વાગ્યાની આસપાસના સમયે માથામાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી પરંતુ પરિવારજનોને થયું કે હૃદયરોગનો હુમલો આવાને કારણે માથું ટેબલ સાથે અથડાતા મોત થયું છે જેથી પરિવારજનો તેને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ હુમલો આવ્યો હોવાથી મોત થયાની આશઁકાથી બોડીને પોસમોટમ કર્યા વિનાજ બોડીને પાછી લયાવમાં આવી હતી અને પરિવારજનો દ્વારા તેની અંતિમક્રિયા કરી અગ્નિસંસ્કાર કરાવામાં આવ્યા હતા અને પરિવાર પોતાનું રોજીંદુ જીવન જીવવા લાગ્યા હતા તમેને સપને પણ શંકા નહતી કે તેના સ્વજનની ગોળી મારીને ઘાતકી હત્યા કરવામાં આવી છે ત્યારે બે દિવસ પછી મૃતકના દીકરા હરેશને ફોન આવે છે દસલાખ રૂપિયા આપીજા નહીંતર તારી પણ તારા બાપ સવજીભાઈની જેમ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવશે તેવા ધમકી ભર્યા ફોન કરવામાં આવતા તે પણ ડરીને તેના પરિવારને આ બનાવ બાબતે જાણ કરતા સમગ્ર મામલો ખાનગી રાહે પોલીસ સમક્ષ પહોંચ્યો હતો અને પોલીસે પણ આ બનાવમાં ગંભીરતા દાખવી આ મામલે ખાનગી રહે તાપસ શરુ કરાવામાં આવી હતી તે દરમિયાન પોલીસની યોજના મુજબ આરોપીને રૂપિયા લેવા આવાનું કહેવામાં આવ્યું હતું અને બે આરોપી રૂપિયા ભરેલો થેલો ટંકારાના સર્કિટ હાઉસના પાછળના ભાગેથી દીવાલ કૂદીને આવ્યા હતા પોલીસ પણ પોતાના પ્લાનિંગ મુજબ સર્કિટ હાઉસમાં છુપાઈને બેસી હતી તે દરમિયાન આરોપીઓ થેલો લઈને ભાગતા સમયે તેની નજર છુપાયેલી પોલીસ પર પડતા ત્યાંથી રૂપિયા ભરેલો થેલો મૂકીને જ ભાગ્યા હતા પરંતુ રાતના અંધારાને કારણે પોલીસ તેને પકડવામાં થાપ ખાઈ ગઈ હતી અને આરોપી નાસી છૂટવામાં સફળ થયા હતા પરંતુ પોલીસ પણ ખુબ સક્રિય હતી જેના કારણે પોલીસે એક હર્ષિત ઢેઢી નામના આરોપીને ઝડપી પાડ્યો હતો જેથી પોલીસે આરોપીની આકરી સરભરા કરતા તમામ વટાણા વેરી નાખ્યા હતા અને ત્યારબાદ પોલીસે તમામ આરોપીઓને ઝડપી લીધા હતા.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...