પ્રમુખ અને ચીફ ઓફિસર
ગેરહાજર હોય મહિલાઓ તેમના નામનાં છાજીયા લઇ વિરોધ દર્શાવ્યો
ર્ગંધ મારતાં દુષિત પાણી નાં કારણે નાનાં બાળકો માં રોગચાળો ફેલાવાનો ભય
મોરબીનગરપાલિકામાં શાસન બદલાયુ સત્તા સ્થાને બેઠેલા ચહેરાઓ બદલાયા પણ અફસોસ સાથે લખવુ પડે છે કે હજું પણ લોકો ની સમસ્યાનો ઉકેલ નથી આવતો સમસ્યાઓ એની એજ છે ખાસ કરીને ઉભરાતી ગટરની સળગતી સમસ્યા હલ કરવામાં પાલિકા તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે. જેમાં મોરબીના છેવાડા વિસ્તાર લાયન્સનગરમાં ગટરની સમસ્યાએ આડો આંક વાળી દેતા હવે ગટરના ગંધાતા દૂષિત પાણી ઘરોમાં ઘુસી જતા સ્થાનિક લોકો વિફર્યા હતા અને લોકોનું ટોળું નગરપાલિકાએ દોડી જઈને મોરચો માંડ્યો હતો. ત્યારે ચીફ ઓફિસર કે પ્રમુખ હાજર ન હોવાથી બન્નેના નામના હાય-હાયના નારા લગાવી લોકોએ ત્રણ દિવસમાં ગટરના પ્રશ્નનું નિરાકરણ ન આવે તો પાલિકાને તાળાબંધી કરવાની ચીમકી આપી છે.
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગર શેરી નંબર 1ના રહીશો આજે નગરપાલિકા કચેરીએ દોડી જઈને ભૂગર્ભ ગટર પ્રશ્ને ઉગ્ર રજુઆત કરી હતી કે, તેમની શેરીમાં છેલ્લા છ મહિનાથી ભૂગર્ભ ગટર ચોકઅપ થઈ ગઈ હોવાથી શેરીમાં નદીના વહેણની માફક ઉભરાઈ છે. ગટરના પાણી આખી શેરીમાં રેલમછેલ થઈને વહેતા હોવાથી ભારે ગંદકીને કારણે મચ્છરોનો ઉત્પાત વધ્યો છે. આથી મેલરીયા સહિતના રોગચાળાનું જોખમ વધ્યું છે. છેલ્લા છ મહિનાથી ઉભરાતી ગટરે હવે સ્થાનિક રહીશોનું જીવવું હરામ કરી દીધું છે. જેમાં હવે તો છેલ્લા કેટલાક સમયથી શેરીમાં ઉભરાતી ગટરનું કદ એટલું બધું વધી ગયું છે કે ગટરના દૂષિત પાણી લોકોના ઘરમાં ઘુસી ગયા છે. તેથી રોગચાળો વકરવાની ભારે દહેશત વર્તાય રહી છે.
ગટર પ્રશ્ને સ્થાનિક લોકોએ અનેક રજુઆત કરી હોવા છતાં તંત્રના પેટનું પાણી હલ્યું નથી. બીજી બાજુ ગટર ઉભરાતી હોવાથી પરિસ્થિતિ નાજુક બની ગઈ છે. લોકોના ઘરમાં ગટરના પાણી ઘુસી ગયા હોવાથી નાના બાળકોમાં રોગચાળો ફેલાય રહ્યો છે. આથી આજે લોકો રજુઆત કરવા નગરપાલિકાએ દોડી ગયા હતા. પણ જવાબદાર ચીફ ઓફિસર કે પાલિકા પ્રમુખ હાજર ન હોવાથી લોકો રોષે ભરાયા હતા અને ચીફ ઓફિસર તેમજ પાલિકા પ્રમુખના નામના હાય-હાયના નારા લગાવ્યા હતા. તેમજ જો ત્રણ દિવસમાં ગટરની સમસ્યાનું કાયમી નિરાકરણ નહિ આવે તો નગરપાલિકાને તાળાબંધી કરવાની ચીમકી આપી છે
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...