મોરબી: મોરબીના મહેન્દ્રનગર ખાતે આજ રોજ 2023 નવા વર્ષના પ્રારંભે રામજી મંદિરે ગાયત્રી યજ્ઞનું આયોજન રાખેલ હતું.સામાન્ય રીતે આજની નવી પેઢી પાશ્ચાત્ય સસ્કૃતિના રંગે રગાઈને મોંઘી મોંઘી હોટેલોમાં વરવા નાચગાન કરી,પાર્ટીઓની મોજ માણતા હોય છે ત્યારે મહેન્દ્રનગર પાસે આવેલ હરિ ગુણ રેસીડેન્સીની અંદર રહેતા તમામ વ્યક્તિઓએ સસ્કૃતિના શ્લોક સાથે શાસ્ત્રોક્ત વિધિથી ગાયત્રી યજ્ઞ કરીને નૂતન વર્ષને આવકારી પ્રેરદાયી પગલું ભર્યું છે અને સમાજને નવો રાહ ચીંધ્યો છે.
યજ્ઞના યજમાન પદ બિલ્ડર રાજેશભાઈ આદ્રોજા તરફથી કરવામાં આવ્યુ યજ્ઞનું આયોજન વ્યવસ્થાપન મહાદેવભાઇ રંગપરિયા આચાર્ય મહેન્દ્રનગર પ્રાથમ શાળા તથા રમેશભાઈ દ્વારા કરવામાં આવ્યું અને જે માસમાં હરિગુણ સોસાયટીમાં રહેતા જે જે વ્યક્તિઓનો જન્મ દિવસ આવતો હોય એમના બધાના જન્મ દિવસની અનોખી ઉજવણી દર માસના અંતિમ દિવસે ગાયત્રી યજ્ઞ ચાલુ જ રહેશે એવી વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવેલ છે.
મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે કેમ્પનું આયોજન કરવામાં આવશે.
નવરાત્રિ દરમિયાન આશાપુરા માતાજીના મઢની પદયાત્રામાં નીકળતા પદયાત્રીઓની સેવા માટે શિવસેવક ગ્રુપ દ્વારા સૂરજબારી પુલ પાસે કેમ્પ યોજવામાં આવે છે. શિવસેવક ગ્રુપ 2012...
મોરબી તાલુકાના રંગપર ગામના બસ સ્ટેન્ડ સામે લીઝાર્ટ સીરામીકની બાજુમાંથી આઇ-૧૦ કારમાથી વિદેશી દારૂની ૦૩ બોટલ જેની કિંમત રૂપિયા ૩૯૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ. ૫,૦૩,૯૦૦ નાં મુદામાલ સાથે આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન આરોપીએ પોતાના કબ્જા ભોગવટા...
મોરબીના કંડલા બાયપાસ પાસે મચ્છુ -૦૩ ડેમમાં પાણીમાં ફૂલ પધરાવવા જતા પડી ગયેલ દીલીપકુમાર નારણભાઈ ચુડાસમા (ઉ.વ.૪૮) નામના આધેડનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.