મોરબી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ દરેક પક્ષ પોતાના ઉમેદવારને વિજેતા બનાવવા પોતાના પક્ષના દિગ્ગજ નેતાઓને પ્રચારમાં ઉતારી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લાની ત્રણ બેઠકોનુ મતદાન પ્રથમ તબક્કામાં થનાર છે અને મતદાન આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આજે મોરબીમાં ભાજપના નેતા પરસોતમ રૂપાલાની જાહેરસભા યોજાઈ હતી. જેમાં રાજ્યસભાના સાંસદ અને ભાજપના પ્રચારક પરસોતમ રૂપાલાએ અગાઉ જેવા છટાદાર ભાષણ સાથે મતદારોને ગુજરાતમાં ભાજપની સરકાર બનાવવા હાકલ કરી હતી.
મોરબીના ધુનડા રોડ ઉપર રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે મોરબી અને ટંકારાના ભાજપના ઉમેદવારના સમર્થનમાં પરસોતમ રૂપાલાની જાહેર સભા યોજાઈ જેમાં રૂપાલાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે છેલ્લા ૨૫ વર્ષથી લોક કલ્યાણના કામો કર્યા છે જેમ કે શિક્ષણ, આરોગ્ય, પાણી સહિતના કામો ગણાવ્યા હતા.
આ સભામાં પરસોતમ રૂપાલાએ વધુમાં જણાવ્યું કે દિલ્હીની ગાદી પર બેસી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજપથ ઉપર સુભાષચંદ્ર બોઝની પ્રતિમા લગાવ્યાનું યાદ કરાવ્યું હતું અને જે વટ વાળા હોય તેમની સાથે રહી મતદારોને ભાજપના બન્ને ઉમેદવારોને જંગી લીડ સાથે જીતાડવા ટકોર કરી હતી. પરસોતમ રૂપાલાએ પોતાના ભાષણમાં જણાવ્યું કે આટલા વર્ષો પછી પણ મોરબીમાં પ્લેન ઉતારી શકાતુ નથી હેલીકૉપટરમાં આવવું પડે છે. છેલ્લા ૨૭ વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકાર છે અને મોરબીનો સીરામીક ઉદ્યોગ બીજા નંબરનો છે ત્યારે વહેલામાં વહેલી તકે ભાજપ સરકાર મોરબીમાં મંજુર થયેલ એરપોર્ટ બનાવે તો આગામી ચૂંટણીમાં હુ પ્લેનમાં બેસીને આવી શકું તેમ પરસોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...