મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલી એક જીન્સ પેન્ટની દુકાનમાં આજે એક મોબાઈલમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી હતી.જેમાં દુકાનના માલિકે મોબાઈલ જોતી વખતે અચાનક ધુમાડા નીકળતા તેમણે મોબાઈલ ફેંકી દીધા બાદ મોબાઈલ ધડાકા સાથે ફાટ્યો હતો. જો કે આ ઘટનામાં સદનસીબે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જીન્સ પોઇન્ટ નામની દુકાનના માલિક કરણભાઈ રાજપૂતના જણાવ્યા મુજબ તેઓએ આજે પોતાની દુકાનમાં દસેક મિનિટથી મોબાઈલમાં વીડિયો જોતા હતા.ત્યારે અચાનક મોબાઈલમાં ધુમાડા નીકળતા તેઓ ચોકી ગયા હતા અને મોબાઈલમાં ધુમાડા નીકળતાની સાથે તેઓએ હાથમાં રહેલો મોબાઈલને દૂર ફેંકી દીધો હતો અને મોબાઈલનો ઘા કરતા ફાટ્યો હતો.જો કે તેઓએ સમય સુચકતા વાપરીને મોબાઈલનો ઘા કરી દેતાં સદનસીબે જાનહાની થઈ નથી.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...