મોરબી : મોરબીના વાવડી પાટીયાથી વનાળીયા સુધીના રોડના રીપેરીંગ બાબતે થોડા દિવસો પહેલા જિલ્લા પંચાયતના અધ્યક્ષને રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆત બાદ ગણતરીના દિવસોમાં આજે શનિવારથી રોડનું કામ શરુ કરવામાં આવ્યું છે.
વાવડીના પાટિયાથી વનાળીયા ગામ સુધીના રોડના રીપેરીંગ બાબતે ગત તા. 28 એપ્રિલના રોજ પૂર્વ તાલુકા પંચાયતના સદસ્યો દ્વારા જીલ્લા પંચાયતના અધ્યક્ષ જયંતીભાઈ પડશુંબીયાને રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆતને ધ્યાને લઈને તાત્કાલિક આ રોડનું રીપેરીંગ આજે શનિવારથી શરુ કરાવવામાં આવ્યું છે ત્યારે આજે જીલ્લા પંચાયતના અધ્યક્ષ જયંતીભાઈ પડશુંબીયા, તાલુકા પંચાયતના સભ્યો પરેશભાઈ પડશુંબીયા, ભુપતભાઈ સવસેટા, ગોકળભાઈ ચીખલીયા અને વનાળીયાના સરપંચ અબુભાઈ સુમરાએ રૂબરૂ રોડની મુલાકાત લઈને કામનું નિરીક્ષણ કર્યું હતું. આ કામ તાત્કાલિક કરવા બદલ અને લોકોને રસ્તા બાબતે પડતી હાલાકીનું ઝડપી નિરાકરણ કરવા બદલ જિલ્લા પંચાયતના સદસ્યનો ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો હતો.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...