મોરબી : મોરબીના વાવડી પાટીયાથી વનાળીયા સુધીના રોડના રીપેરીંગ બાબતે થોડા દિવસો પહેલા જિલ્લા પંચાયતના અધ્યક્ષને રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆત બાદ ગણતરીના દિવસોમાં આજે શનિવારથી રોડનું કામ શરુ કરવામાં આવ્યું છે.
વાવડીના પાટિયાથી વનાળીયા ગામ સુધીના રોડના રીપેરીંગ બાબતે ગત તા. 28 એપ્રિલના રોજ પૂર્વ તાલુકા પંચાયતના સદસ્યો દ્વારા જીલ્લા પંચાયતના અધ્યક્ષ જયંતીભાઈ પડશુંબીયાને રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆતને ધ્યાને લઈને તાત્કાલિક આ રોડનું રીપેરીંગ આજે શનિવારથી શરુ કરાવવામાં આવ્યું છે ત્યારે આજે જીલ્લા પંચાયતના અધ્યક્ષ જયંતીભાઈ પડશુંબીયા, તાલુકા પંચાયતના સભ્યો પરેશભાઈ પડશુંબીયા, ભુપતભાઈ સવસેટા, ગોકળભાઈ ચીખલીયા અને વનાળીયાના સરપંચ અબુભાઈ સુમરાએ રૂબરૂ રોડની મુલાકાત લઈને કામનું નિરીક્ષણ કર્યું હતું. આ કામ તાત્કાલિક કરવા બદલ અને લોકોને રસ્તા બાબતે પડતી હાલાકીનું ઝડપી નિરાકરણ કરવા બદલ જિલ્લા પંચાયતના સદસ્યનો ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો હતો.
મોરબી તાલુકાના રફાળેશ્વર ખોડિયાર માતાજીનાં મંદિર સામે સર્વીસ રોડ પરથી વિદેશી દારૂની છ બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના રફાળેશ્વર ખોડિયાર માતાજીનાં મંદિર સામે સર્વીસ રોડ પરથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૬ કિં...
હળવદ તાલુકાના મયુરનગર ગામના ઝાંપા પાસે આધેડ બેઠેલ હોય ત્યારે આરોપી ત્યાં આવી આધેડને જાતી પ્રત્યે હડધૂત કરી ગાળો બોલી ઢીકાપાટુનો મારમારી પથ્થર વડે ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મયુરનગર ગામે રહેતા અશોકભાઇ હીરાભાઈ સોલંકી (ઉ.વ.૪૫)...
રાજકોટ મોરબી હાઈવે રોડ ઉપર મીતાણા ગામે મેલડી માતાજીના મંદિર નજીક કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડીવાઈડર ટપી સામેની સાઈડ બીજી કાર સાથે અથડાઈ અકસ્માત સર્જાયો હતો જેમાં યુવકનું મોત નિપજ્યું હતું જેથી મૃતકના ભાઈએ આરોપી કાર ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ...