ટંકારા તાલુકાના હડમતિયા ” ગામના હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર” ના MPHW ઈસ્માઈલભાઈ કડીવાર છેલ્લા સાડા ત્રણ વર્ષથી નાત-જાતના ભેદ વિના કોરોના કાળમાં મુસ્લિમ બિરાદરે રેપીડ ટેસ્ટ અને મચ્છરથી થતા રોગો વિશે અનેક જાણકારીઓ આપી છે, પછી તે આયુષ્યમાન ભારત કાર્ડ વિશે ગ્રામજનોને તેમજ અન્યોને પણ માહિતગાર કર્યા છે. ટી.બી. ના દર્દીઓના ઘેર અને આજુબાજુના કારખાના વિસ્તારોમાં શ્રમિકોને જઈને દવાઓ અને રાશનકીટ પહોંચાડી છે. ડેન્ગ્યુ વિશે પણ જાણકારી આપી છે.
વાડી વિસ્તારમાં ખેડુતોના ખેતરે શ્રમિકોની મુલાકાતો અને જરુર પડ્યે ફોન કરવા પણ જણાવેલ છે. આવા માનવતાના મસિહા બની હડમતિયા ગામના હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર” માં નોકરી કરી ચુકેલા હોવાથી બદલી થતાં આરોગ્યનો સ્ટાફ CHO તઝમીનબેન ગઢવાળા, FHW જુવેરીયાબેન ખોરજીયા તથા હડમતિયા હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરના સંજીવની સમિતિના સદસ્ય રમેશભાઈ ખાખરીયા ભાવવિભોર બની ગયા હતા
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...