હળવદ તાલુકામાં નર્મદાનું પીવાનું પાણી મળી રહે તે માટે પાણી પુરવઠા બોર્ડ દ્વારા હળવદ થી પાઇપલાઇન મારફત ગામડાઓમાં ગ્રામ પંચાયત પાણી પહોંચાડવામાં આવે છે પરંતુ હળવદ તાલુકા ૧૫ જેટલા ગામોમાં ઘણા વર્ષોથી નર્મદાનું પાણી નથી મળતા ગામલોકોને બોરનું ક્ષાર યુક્ત પાણી પીવા માટે મજબૂર થવું પડે છે ત્યારે પાણી પુરવઠા બોર્ડ દ્વારા ગામ લોકોને નર્મદાનું પાણી પહોંચાડી તે ગામ લોકોની માંગ ઉઠવા પામી છે
હળવદ તાલુકામાં પીવાના પાણીની સમસ્યા દર વર્ષે ઉનાળામાં સતાવતી હોય છે હળવદ શહેરમાં પણ પીવાના પાણીનો કાળો કકળાટ જૉવા મળી રહ્યો છે ત્યારે છેવાડાના વિસ્તારોમાં પણ પીવાનુ પાણી નહી મળતુ હોવાની રાવ ઉઠવા પામી છે ત્યારે હળવદ તાલુકાના ગામોમાં નમૅદા નુ પીવાનું પાણી મળી રહે તે માટે ટીકર રોડ ઉપર પાણી પુરવઠા વોટર સપ્લાય દ્વારા પીવાના પાણીની પાઈપલાઈન મારફત ગામડાના લોકોને પીવાનું પાણી શુદ્ધ મળી રહે તે માટે ગ્રામ પંચાયતના આપવામાં આવતું હોય છે ત્યારે હળવદ તાલુકાના ૧૫જેટલા ગામોમાં ઘણા વર્ષોથીનર્મદાનું પાણી નહીં મળતા ગામલોકોને બોરનું ક્ષાર યુક્ત પાણી પીવા માટે મજબૂર થવું પડે છે આ અંગે રાણેકપર ગામના રાજુભાઈ ઉડેચા . ચુપણી ગામના હરેશભાઈ મકવાણા જણાવ્યું હતું કે અમો ઘણા વર્ષોથી ગ્રામ પંચાયતનો બોરનું પાણી પીવે છે જેના કારણે અમારે ગામમાં પથરીઅને ચામડીના રોગ ની બીમારી થી ગામલોકો સપડાય છે ત્યારે પાણી પુરવઠા દ્વારા સત્વરે નર્મદાનું પાણી મળે રહે તેવી વ્યવસ્થા કરે તેવી ગામ લોકોની માંગ ઉઠવા પામી છે
કયા ગામમાં નમૅદા નુ પાણી નથી મળતું
ચંદ્રગઢ, બુટવડા,રણમલપુર મંગળપુર,ઘણાદ,ધુળકોટ,ડુંગરપુર,માણેકવાડા,રાતાભેર,ચુંપણી,વાકીયા,રાયધ્રા માથક,સુદરીભવાની,સરભંડાસહિતના ૧૫ જેટલા ગામોમાં નર્મદાનું પીવાનું પાણી નથી મળતું
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...