હળવદના સ્મશાનમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે લાકડા અને છાણાનો અભાવ હોવાથી મૃતદેહને અંતિમ ક્રિયા માટે પાલિકાના કર્મચારીએ કલાકો સુધી રાહ જોવડાવી
આ બાબતે હળવદમાં જાગૃત સામાજિક કાર્યકર અજુભાઈ અને નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર આસમાન પાલને રજૂઆત કરી જણાવ્યું હતું કે સ્મશાનમાં લાકડાં તો છે પણ વૃદ્ધિ અને અંતિમ ક્રિયા માટે લાકડા કોઈ ઉપયોગમાં આવે એમ નથી અને છાણા પણ નથી તો નગરપાલિકા દ્વારા વ્યવસ્થા કેમ કરવામાં નથી આવતી ત્યારે સેનેટરી ઇન્સ્પેક્ટર એ સામાજિક કાર્યકર એવા અજુભાઈ ને એવું જણાવ્યું કે નગરપાલિકા ને છાણા મળતા નથી છેલ્લા પંદર દિવસથી હળવદના પાલિકા સ્થિત સ્મશાન ગૃહમાં જ નથી ત્યારે મૃતદેહ ને અંતિમક્રિયા કરવા માટે કલાકો રાહ જોવી પડી રહી છે
રિપોર્ટ – રવી પરીખ હળવદ
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા મોરબી જિલ્લામાં તમામ કારખાનેદારો, મકાન બાંધકામમાં, ફાઉન્ડ્રી ઉદ્યોગમાં, હીરા ઉદ્યોગ, ખેતી તથા ફેકટરીઓમાં તેમજ વેપાર ધંધામાં મજૂર કે ભાગીયા તરીકે કામ કરતા પરપ્રાંતીય કારીગરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનમાં આપવા અને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કામદારો/શ્રમિકોના પૂર્વ ઈતિહાસ, નાગરિકતા અને ઓળખ નક્કી થઈ શકે...
મોરબી જિલ્લા પાણી પુરવઠા વિભાગના સઘન પ્રયાસોથી હળવદ તાલુકાના પાંડાતિરથ ગામનો મોરબી જિલ્લાની હળવદ તાલુકા પાણી પુરવઠા વિભાગની એન.સી.ડી-૪ પાણી પુરવઠા યોજના અંતર્ગત સમાવેશ કરી જૂથ યોજનાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે.
પાંડાતિરથ ગામની હાલની વસ્તી અંદાજીત ૧૬૦૦ જેટલી છે. આ ગામમાં ભૂગર્ભ સંપ અને ઉંચી ટાંકી મળીને કુલ ૧,૭૦,૦૦૦ લીટર...