હળવદ :લંગડેજી હનુમાનજી ની જન્મજયંતી ઉજવાઈ
ચૈત્ર સુદ પુનમ એટલે હનુમાનજી ની જન્મજયંતિ આ દિવસ આખા દેશમાં લોકો ભક્તિભાવ થી ઉજવે છે હનુમાનજી ભગવાન શ્રીરામ ના પરમ ભક્ત જ્યારે ભગવાન શ્રી રામ ને પણ સીતા ની સોધ માટે હનુમાનજી ની જરૂર પડતી હોય ત્યારે આવા ગુરુ શિષ્યની જન્મજયંતિ આખો ભારત દેશ ઉજવી રહ્યો છે ત્યારે હળવદ ખાતે ચૈત્રી પુનમના દિવસે શ્રી લંગડેજી હનુમાનજીની જન્મજયંતિ ઉત્સાહભેર ઉજવવામાં આવી હતી આ તકે લંગડેજી હનુમાનજી સેવા સમિતિ દ્વારા લંગડેજી હનુમાનજી ની જન્મજયંતિ ઉજવવામાં આવી હનુમાન જયંતિની પુર્વ સંધ્યાએ લંગડેજી હનુમાન સેવસમિતી દ્વારા ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખ્યાતનામ કલાકારો પ્રદીપદાન ગઢવી,યોગેશદાન ગઢવી, જયમંત દવે,હાર્દિક દવે,નરેશ રાવલ,પ્રિતેશ દવે એ ડાયરામાં રમઝટ બોલાવી હતી ચૈત્રી પુનમ ના દિવસે લંગડેજી હનુમાન સેવા સમિતિ દ્વારા સપ્તકુંડી હોમાત્મક યજ્ઞ નું ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું આ તકે સમિતિ ના બહારગામ થી આવેલા સેવકો તેમ જ હળવદ સમિતિ ના સેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી આ તકે હળવદના વતની અને મુંબઈ માં આવેલ નહેરુ પ્લેની ટોરિયમ ના ડાયરેક્ટર ખગોળ શાસ્ત્રી જે જે રાવલ પણ ઉપસ્થિતિ રહ્યા હતા લંગડેજી હનુમાનજી સમિતિ ના સભ્ય નરેશભાઈ રાવલ,દીપકભાઈ પટેલ, અમીત મુંજપરા,પિયુષ વૈષ્ણવ,વિમલ ધામેચા,પ્રિતેશ દવે,આશિષ દવે, જીજ્ઞાસુભાઈ પંચોલી,ચંદ્રકાંતભાઈ વૈષ્ણવ,દલવાડી ભાઈ તેમજ ગ્રૂપના તમામ સભ્યોએ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો
રવિ પરીખ હળવદ
