હળવદ શહેરના વોર્ડ નંબર-6માં પ્રમુખ સ્વામીનગરમાં આવતા પીવાના પાણીથી લોકો પરેશાન થઈ ગયા છે. કારણ કે, તેમને મળતુ પીવાનું પાણી દુર્ગંધ મારતુ અને ફીણવાળું મળે છે. જેથી ત્યાંના સ્થાનિક રહીશો રોગચાળો ફેલાયો હોવાની ફરિયાદ કરી રહ્યાં છે. જોકે આ અંગે મહિલાઓ દ્વારા નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરી છે. પરંતુ નિંદ્રાધિન તંત્ર રજૂઆત ન સાંભળતું હોય તેવા સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે.
મળતી માહિતી અનુસાર હળવદ શહેરના વોર્ડ નંબર-6માં આવેલા પ્રમુખ સ્વામીનગરના રહીશો પીવાના પાણીથી પરેશાન થઈ ગયા છે. કારણ કે, તેમને મળતુ પીવાનું પાણી પીવાલાયક નથી. પીવાના પાણીની લાઈનમાં આવતું પાણી ફીણવાળુ અને ગટરનું ગંદુ પાણી મળી રહ્યું છે. આ સમસ્યા એક-બે દિવસની નથી. પરંતુ છેલ્લા એક મહિનાથી આ લોકોને ફીણવાળુ અને ગટરનું પાણી પીવાની લાઈનમાં મળી રહ્યું છે. અને જેને કારણે ઘરોમાં રોગચાળો પણ ફેલાયો હોવાની સ્થાનિકો ફરિયાદ કરી રહ્યાં છે. તો સાથે જ ગંદા પાણીને લઈને મહિલાઓ દ્વારા નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવામાં આવી છે. પરંતુ નિંદ્રાધિન તંત્ર સાંભળતુ ન હોવાના મહિલાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. અને જવાબદાર તંત્રના અધિકારીઓ એકબીજાને ખો આપી રહ્યાં હોવાના કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાના આરોપ લગાવ્યા છે. જેથી વોર્ડ નંબર-6 પ્રમુખ સ્વામીનગરના રહીશોએ નગરપાલિકાને પાંચ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. અને જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ચાલુ વર્ષે ભારતમાં આબોહવા અને ઋતુચક્રમાં એક મોટો તથા ચિંતાજનક બદલાવ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે જે કાળઝાળ ગરમી એપ્રિલ કે મે મહિનામાં અનુભવાતી હોય છે, તેણે આ વર્ષે માર્ચ મહિનાની શરૂઆતમાં જ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશના અનેક રાજ્યોમાં...
રાજકોટ શહેર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને સ્થાનિક રાજકીય માહોલ ધીમે ધીમે ગરમાઈ રહ્યો છે. આ ચૂંટણી જંગમાં મજબૂત દાવેદારી નોંધાવવાના હેતુથી આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પોતાની સંગઠનાત્મક તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે પાર્ટી દ્વારા તાજેતરમાં રાજકોટના તમામ વોર્ડ માટે સઘન ઉમેદવાર પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં...
મારુતિનગર પ્રાથમિક શાળામાં આપત્તિ વ્યવસ્થાપન પ્રોજેક્ટ અંતર્ગત શાળા સલામતી અંગે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને આગ, પૂર, ભૂકંપ જેવી આપત્તિઓ સમયે કેવી રીતે સાવચેત રહેવું અને સુરક્ષિત રીતે વર્તવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કાર્યક્રમના ભાગરૂપે શાળા પરિસરમાં ફાયર ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું, જેમાં...