ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ દ્વારા હળવદના ઇતિહાસમાં પ્રથમ વખત કિન્નરો દ્વારા ચકલી ઘર નું વિતરણ
ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા હળવદ શહેર ની અંદર અલગ અલગ સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે ૨૦ માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમીતે 1250 ચકલી ઘર 1050 પાણીના કુંડા નું વિતરણ કરવામાં આવ્યું હતું પરંતુ લોકોને વધુ માંગને ધ્યાને લઈ ફરી એક વખત આજે 1500 નંગ ચકલી ઘર તેમજ 1200 પાણીના કુંડા નું વિતરણ કરવામાં આવ્યું
આ કાર્યક્રમ મા હળવદમાં પ્રથમ વખત તેમજ કહી શકાય કે ગુજરાત મા ઇતિહાસની આ પ્રથમ એવી ઘટના હશે જ કે કિન્નરોના હસ્તે ચકલી ઘર તેમજ પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું કિન્નરોને સમાજમાં લોકો જે દૃષ્ટિથી જુએ છે તે જોવાનો દ્રષ્ટિકોણ બદલાય તેમ જ કિન્નરો પ્રત્યેની લોકોને નજર બદલાય તેવા હેતુથી આ કાર્યક્રમમાં ખાસ હળવદમાં આઠથી વધુ વર્ષોથી રહેતા કિન્નરોને બોલાવીને તેમના વરદ હસ્તે લોકોને ચકલી ઘર તેમજ પાણીના કુંડા આપવામાં આવ્યા
રવી પરીખ હળવદ
મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા ક્લસ્ટર નં-૦૯ની વિઝીટ કરવામાં આવેલ. જેમાં ક્લસ્ટર નં-૦૯ ના સફાઇ કર્મચારીની હાજરીની ચકાસણી કરવામાં આવેલ.
તદુપરાંત ધુનડા રોડ, સ્ટેટ હાઇવે, ગોકુલનગર તથા ભક્તિનગર પાસે આવેલ GVP પોઈન્ટની વિઝીટ કરવામાં આવેલ તથા લાઈન્સ નગર તેમજ શ્રીજી પાર્ક સોસાયટી ખાતે ડોર ટુ ડોર કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ. જાહેરમાં...
મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા માર્ચ 2025 થી 23 ડિસેમ્બર 2025 સુધી 2025 પશુ પકડેલ છે. વિવિધ વિસ્તારમાંથી રખડતા ઢૌર પકડીને આજુબાજુની ગૌશાળા તથા પાંજરાપોળમાં મૂકવામાં આવેલ છે.
તદુપરાંત પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા 178 પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવેલ છે. 18 લોકોને ઘાસ વેચાણ માટેની પરમિટ આપેલ...
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે ત્યારે મોરબીના સબરજીસ્ટ્રાર બીપીનભાઈ જોબનપુત્રા પરિવાર દ્વારા પૂ. જલારામ બાપાની મહાઆરતી તેમજ સદાવ્રત માં મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો.
આ તકે સબ રજીસ્ટ્રાર બીપીનભાઈ જોબનપુત્રા, નિવૃત...