દર ગુરૂવારે મોરબી જિલ્લાના ગ્રાહકોના હિતને લગતા કેસોની સુનાવણીની કામગીરી હાથ ધરાશે
મોરબી: નાગરિકોને ગ્રાહક તકરાર નિવારણ માટે કોઈ તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર અને રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ આયોગ સતત પ્રયત્નશીલ છે. ત્યારે મોરબી ખાતે કન્સ્યુમર કોર્ટનું રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ આયોગના પ્રમુખ વી.પી. પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ આયોગના પ્રમુખ વી.પી.પટેલે જણાવ્યું હતું કે, હાલ મોરબી જિલ્લાના ગ્રાહક તકરારને લગતા કેસની સુનાવણી રાજકોટ ખાતે કરવામાં આવતી હતી. મોરબી ખાતે જ કન્સ્યુમર કોર્ટનો પ્રારંભ થતા હવે જિલ્લાવાસીઓને ઘર આંગણે જ ન્યાય મળી રહેશે, રાજકોટ સુધી જવું નહીં પડે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દર ગુરૂવારે કન્સ્યુમર કોર્ટ ખાતે ગ્રાહક તકરારને લગતા કેસોની સુનાવણી હાથ ધરવામાં આવશે.
આ પ્રસંગે વી.પી. પટેલ સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં તક્તી અનાવરણ, દીપ પ્રાગટ્ય તેમજ રીબીન કાપીને કન્સ્યુમર કોર્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે વી.પી. પટેલ સાથે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (મુખ્ય) પ્રમુખ પી.સી. રાવલ, જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (અધિક) પ્રમુખ કે.એમ. દવે, જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (મુખ્ય) સભ્ય એસ.એમ. ભટ્ટ, જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (અધિક) સભ્ય ટી.જે. સાંકલા, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ મદદનીશ નિયામક કુલદીપ સરવૈયા તથા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ ખાતે પ્રેક્ટિસ કરતા વકીલો ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી મહાનગરપાલિકાની ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખા દ્વારા શહેરની હદમાં આવેલા મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વધતી જય છે તે નિવારવા મહાનગરપાલિકા દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ખાસ કરીને દિવસેને દિવસે વધતી ટ્રાફિક સમસ્યાઓ પર નિયંત્રણ મેળવવા માટે અને જે તે રસ્તાઓ પર વાહનો પાર્ક...
મોરબી મહાનગરપાલિકા વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કરે છે કે તેઓ પોતાનાં પ્રોપર્ટી ટેક્સના સ્વીકારવાની કામગીરી મહાનગરપાલિકા ઓફિસમાં તેમજ મહાનગરપાલિકા દ્વારા હાલે કુલ 11(અગીયાર) કલસ્ટર ઓફિસર્મા સવારે 10:30 થી બપોરના 12:00 કલાક સુધી વેરા સ્વીકારવામાં આવશે.
તેમજ મહાનગરપાલિકા વિસ્તારના તમામ મિલકતધારકો/ભોગવટેદારને જાણ કરવામાં આવે મહાનગરપાલિકાની https://mmcgujarat.in/મહાનગરપાલિકાની એપ્લીકેશન ડેવલોપમેન્ટ કરવામાં આવેલ છે....
મહાન ક્રાંતિકારી, વીર સપૂત, આઝાદ હિંદ ફોજના સ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે પુણ્યતિથિ છે. ત્યારે મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા આ દિવસને ગુમનામી દિવસ તરીકે મનાવે છે.
તુમ મુજે ખુન દો મેં તુમે આઝાદી દુંગા સૂત્ર આપનાર સુભાષચંદ્ર બોઝ જે દેશની આઝાદી માટે પોતાનુ જીવન સમર્પિત કરી દીધું હતું ,વર્ષ 1945માં...