સુરત સેસન્સ કોર્ટે ઐતેહાસીક ચુકાદો આપીને ગ્રીષ્મા હત્યા કેસના દોષિત ફેનિલને ફાંસીની સજા ફટકારીને છે અને ગ્રીષ્મના પરિવારને ન્યાય મળ્યો છે. ત્યારે આવો જ બનાવ ગત વર્ષે જેતપુર તાલુકાના જેતલસર ગામ ની દીકરી સાથે પણ બન્યો હતો ત્યારે જેતલસરની દીકરીને પણ ઝડપથી ન્યાય મળે તે માટે પાટીદાર હિત રક્ષા સમિતિ ગુજરાત દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે.
મહત્વનું છે કે ગ્રીસમાં હત્યાકેસમાં થોડા દિવસોની અંદર જ કેસ ચલાવીને કોર્ટ દ્વારા દોષિતોને ફાંસી ની સજા ફટકારાઈ છે ત્યારે પાટીદાર હિત રક્ષા સમિતિ ગુજરાતની રજૂઆત છે કે જેતલસરની દીકરીને પણ ઝડપથી ન્યાય મળે અને દીકરીને ઘરમાં ઘૂસીને ૫૦થી વધુ છરીના ઘા ઝીંકનાર નરાધમને પણ ફાંસીની સજા થાય તેવી માંગ પણ કરવામાં આવી છે
મોરબી: શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત બાલસભા, પર્યાવરણ જાગૃતિ માટે રેલી તથા વિવિધ રમતોનું આયોજન કરવામાં આવેલ.
જેમાં બાલવાટિકા તથા ધો. 1 થી 8 સુધીના તમામ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો તેમાં પ્રથમ શાળાનાં શિક્ષક ચિકાણી રમણિકલાલ દ્વારા બાળકોને વિવિધ...
મોરબી જીલ્લાના એક દર્દી જેમની ઉમ્ર 55 વર્ષ છે જેમને બેભાન હાલત માં આયુષ હોસ્પિટલ ખાતે ઈમરજન્સી માં લાવવામાં આવ્યા હતા. જ્યાં ડૉ. ઉત્તમ પેઢડીયા સાહેબ કે જે જનરલ ફીઝાશિયન તેમજ ક્રીટીકલ સ્પેશિયાલિસ્ટ છે. તેમને દર્દી ની તપાસ કરતા તેમજ દર્દી ના સગા ને દર્દી ની જાણકારી પુછતા જણાયું...
મોરબીના પંચાસર રોડ પર આવેલ રાજનગર સોસાયટી ખાતે રાજનગર યુવા ગ્રુપ દ્વારા આજે રવિવારના રોજ શ્રી હરસિધ્ધ હનુમાનજી મંદિર ખાતે ૧૭૦૦ જેટલા અલગ અલગ ફુલ, ફળ અને છોડ નું વિતરણ કરાયું હતું.
જેમાં ૯૫૦ થી વધુ લોકોએ લાભ લીધો હતો. સવારે ૮:૩૦ થી રોપા લેવા માટે લોકોનો ભારે ઉત્સાહ જોવા...