મોરબી : નમસ્કાર ગુજરાતના સહયોગથી અને ડો. કલ્પેશ પટેલ આયોજીત સમગ્ર ગુજરાત પાટીદાર રત્ન સન્માન સમારોહ – ૨૦૨૨ નું આયોજન સ્વામીનારાયણ વિદ્યાધામ -હાથીજણ અમદાવાદ ખાતે તા. ૨૧/૦૫/૨૦૨૨ ના રોજ કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્યમાં વિવિધ ક્ષેત્રોમાં પોતાનું આગવું પ્રદાન આપી પોતાની વિશેષ ઓળખ ઉભી કરનાર ૧૪૩ પાટીદાર રત્નોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
શિક્ષણક્ષેત્રે નવીન કાર્ય કરનાર સમગ્ર ગુજરાતમાંથી ૧૯ જેટલા પાટીદાર શિક્ષક ભાઈ બહેનોને પણ આ એવોર્ડ આપવામાં આવ્યા હતાં જેમાં મોરબી જિલ્લામાંથી નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાના ઈનોવેટીવ શિક્ષક અશોકભાઈ કાંજીયાની પસંદગી થતા તેમને સ્વામિનારાયણ વિદ્યાધામ-હાથીજણના સંસ્થાપક શ્રીજી સ્વામી તથા ગૌભક્ત કાલીદાસજીબાપુ-આનંદાશ્રમ દેકાવાળાના હસ્તે પાટીદાર રત્ન એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ મળતા અશોકભાઈ કાંજીયાએ પોતાનું ગામ, શાળા તથા પાટીદાર સમાજનું ગૌરવ વધાર્યું છે જે બદલ તેમને સમગ્ર શાળા પરિવાર તેમજ મોરબી જિલ્લા પાટીદાર પરિવાર વતી અભિનંદન પાઠવવામાં આવ્યાં હતા.
મોરબી તાલુકાના જેપુર ગામની સીમમાં પ્રભુનગર ગેટ બાવળના કાંટ પાસે ખરાબાની જગ્યામાંથી વિદેશી દારૂ બીયર તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ.૧,૪૭,૦૪૦ નો મુદામાલ મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના જેપુર ગામની સીમમાં પ્રભુનગર ગેટ બાવળના કાંટ પાસે...
મોરબીના વીસીપરા વિસ્તારમાં સેન્ટમેરી ફાટક પાસે આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ/બીયર મળી કુલ કિં રૂ. ૪૦૯૫૦ નો મુદામાલ મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી નવલખી રોડ સેન્ટમેરી ફાટક પાસે રહેતા આરોપી રોહીત મુન્નાભાઈ સરવૈયા એ...
૭૦ વર્ષના દર્દી જેમને જમણા પડખામાં દુખાવો, પેશાબમાં બળતરા, ઉલટી જેવા લક્ષણો હતા, તે આયુષ હોસ્પિટલમાં બતાવા માટે આવેલા. જ્યાં ડૉ. કેયુર પટેલ દ્વારા આગળ સી.ટી. સ્કેન કરતા જણાયું કે દર્દીની જમણી કીડની ની નળી માં પથરી ફસાઈ ગયેલ છે. દર્દીને પથરી લાંબા સમયથી ફસાયેલ હોવાથી જમણી કીડનીમાંથી પેશાબ...