મોરબી: શ્રી રઘુવંશી સેવા સમિતિ દ્વારા આ સમૂહ લગ્નોત્સવમાં લોહાણા સમાજ ના વડીલો ,આગેવાનો , શ્રેષ્ઠીઓના આશીર્વચન સાથે યોજવામાં આવશે.
સમાજના ખોટા ખર્ચાઓ, દેખા-દેખીથી લગ્નમાં થતા ખર્ચાઓને તિલાંજલિ આપીને સમૂહ લગ્નમાં બહેનો ઓ – દીકરીઓના લગ્ન કરવા જોઈએ. શ્રી રઘુવંશી સેવા સમિતિ દ્વારા સમૂહ લગ્નોત્સવ ખૂબ જ શાનદાર રીતે આયોજન કરવામાં આવશે.
સમિતિ તથા દાતાઓ દ્વારા દીકરીઓને સોના ચાંદીના આભૂષણો તથા કુલ 51 આઈટમથી વધારે વસ્તુઓ કરિયાવારમાં આપવામાં આવશે .
શ્રી રઘુવંશી સેવા સમિતિના સભ્યો ભરતભાઈ રાચ્છ, નીલેશભાઈ રાજા, નીલેશભાઈ ખખ્ખર, વિરલભાઈ બુદ્ધદેવ, પરેશભાઈ કાનાબાર, અમિતભાઈ ગણાત્રા, હિતેશભાઈ સચદેવ, જીતુભાઈ પૂજારા, આનંદભાઈ સેતા, જીનેશભાઈ કાનાબાર , જતીનભાઈ કારીયા, નૈમિષભાઈ પંડિત, પ્રતિકભાઈ હાલાણી , ભાવિનભાઈ ઘેલાણી, નિખિલભાઈ છગાણી, સાગરભાઈ જોબનપુત્રા, જીગ્નેશભાઈ પોપટ, નેહલભાઈ કોટક, અમિતભાઈ પંડિત, તેજસભાઇ બારા તથા અન્ય સભ્યો દ્વારા આ સમૂહ લગ્નોત્સવનું આયોજન ખૂબ જ સારું થાય એવા પ્રયત્નો અને મહેનત કરી રહ્યા છીએ .
આ આયોજનને સ્વીકારવા બદલ તમામ જ્ઞાતિ જનોનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ.
નોંધ:- 1. આ આયોજન ફક્ત રઘુવંશી સમાજ માટે છે.
2. વહેલા તે પહેલાના ધોરણે 11 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવશે.
વધુ માહિતી માટે, રઘુવંશી સેવા સમિતિ(મોરબી) ઓફીસ:- ખોડિયાર ટ્રેડ સેન્ટર , પેહલો માળ, નવા ડેલા રોડ, મોરબી..
ફોર્મ અને સંપર્ક માટે:- પરેશભાઈ કાનાબાર:- ૯૩૭૬૦૪૯૯૯૯,
મોરબી જીલ્લામા અલગ અલગ જગ્યાએથી મોટર સાયકલો તથા એક સેન્ટ્રો કારની થયેલ ત્રણ અનડિટેક્ટ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી એક ઇસમને ચોરીમાં ગયેલ કુલ કી.રૂ.૨,૪૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે ઝડપી પાડયો છે.
વાંકાનેર તાલુકા પોલીસની ટીમે મોરબી જીલ્લામાં અલગ અલગ જગ્યાએથી બે મોટર સાયકલો તથા એક સેન્ટ્રો કારની...
રાજ્યમાં પુલો, રસ્તા અને વરસાદી માહોલના લીધે અસર પામેલા માર્ગોના સમારકામને લાગતું ખાસ અભિયાન માનનીય મુખ્યમંત્રીના દિશાનિર્દેશો અને માર્ગદર્શનમાં અમલી બનાવવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોની સાથે લાતી પ્લોટ વિસ્તારની પાણી ભરાવવાની તથા ખરાબ રસ્તાની સમસ્યાના નિરાકરણ માટે કમર કસી છે.
રાજ્ય સરકારના માર્ગ સમારકામ...