ભોજન ભક્તિ ભજન નો ત્રિવેણી સંગમ, લોહાણા મહાજન વાડી ખાતે રઘુવંશી મહિલા મંડળ દ્વારા ભવ્ય આયોજન કરાયું.ધામધૂમ પૂર્વક રૂક્ષ્મણી વિવાહ, કૃષ્ણ જન્મ, સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડીયુ હતું
હળવદ રઘુવંશી મહિલા મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ મોક્ષગાથા પારાયણનું આયોજન ૨૪/૪ થી ધામધૂમપૂર્વક પ્રારંભ થયો હતો. વક્તા વ્રજ નિવાસી શ્રી કનૈયાલાલ શાસ્ત્રીજી દ્વારા કથાનું સંગીત મયશૈલી માં અમુતપાન કરાવવામાં આવ્યું હતું. કૃષ્ણ જન્મ રૂક્ષ્મણી વિવાહ વગેરે પ્રસંગોની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.રોજ સત્સંગ ભજન ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં રઘુવંશી મહિલા મંડળની બહેનો તથા જ્ઞાતિના શ્રેષ્ઠીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, સમગ્ર શ્રીમદ ભાગવત સપ્તાહ મોક્ષગાથાને સફળ બનાવવા રઘુવંશી મહિલા મંડળની બહેનોએ દ્વારા ખુબજ સુંદર મજા નું આયોજન કરવામાં આવ્યું હતું. કથા સમય દરમિયાન ભક્તિ ભજન નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
વાયરલ એન્કેફેલાયટીસ વાયરસ (ચાંદીપુરા વાયરસ) ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
સૌ પ્રથમ મગજ નો તાવ ના લક્ષણો સાથે ચાંદીપુરા વાયરસ ૧૯૬૫ ના વર્ષમાં મહારાષ્ટ્ર ના ચાંદીપુરા ગામમાંથી મળી આવેલ. જો તેની તાત્કાલિક સારવાર ન કરવામાં આવે તો તે ગંભીર...
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-વાંકાનેર દ્વારા તાલુકા કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું બેઠકની શરૂવાત સૌ પ્રથમ ભારતીય સંસ્કૃતિ મુજબ સરસ્વતી વંદના કરીને કરવામાં આવી, ત્યારબાદ કારોબારી બેઠકમાં ઉપસ્થિત મોરબી જિલ્લાના અધ્યક્ષ, સિનિયર ઉપાધ્યક્ષ ઉપસ્થિત રહ્યા તેમનું તાલુકાના અધ્યક્ષ અશોકભાઈ સતાસિયા દ્વારા દરેક કાર્યકર્તાનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું.
બેઠકમાં સંગઠનનો વ્યાપ...