એક મહિના બાદ માતા-પુત્રનું મિલન થતાં બંનેના આખમાં હર્ષના આંસુ છલકાયા
કોઇ અસ્થિર મગજની મહિલા મોરબીના અદેપર ગામે ભૂલી પડી અને ગામના સરપંચે ૧૮૧ મહિલા અભયમ હેલ્પ લાઇનને ફોન કરીને જાણ કરી અને સખી વન સ્ટોપ સેન્ટરને જાણ કરતાં, મહિલાને આશ્રય આપતું રાજ્ય સરકારનું સાહસ એટલે સખી વન સ્ટોપ સેન્ટર. જ્યાં આ મહિલાને કાઉન્સેલીંગ કરીને ફરી પોતાના પરિવાર સાથે મિલન કરાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી અને સફળતા પણ મળી.
વાત છે ગત તા.૪ થી જૂનની મોરબીના અદેપર ગામની જ્યાં કોઇ અસ્થિર મગજની મહિલા ભૂલથી આવી પહોચી હતી. ગામના સરપંચે ૧૮૧ મહિલા અભિયમને જાણ કરી અને આ અસ્થિર મગજની મહિલાને સખી વન સ્ટોપ સેન્ટરમાં રીફર કરીને યોગ્ય કાઉન્સેલીંગ અને માનસીક સારવાર કરવામાં આવી.
મોરબી જિલ્લાના મહિલા અને બાળ અધિકારી એજાઝ મંન્સુરી તથા જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધીકારી નિલેશ્વરીબા ગોહીલના માર્ગદર્શન હેઠળ સખી- વન સ્ટોપ સેન્ટરના સ્ટાફ દ્વારા આવેલ મહિલાનું કાઉન્સેલીંગ કરી તેમના પરીવારની શોધ-ખોળ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા અને અંતે સફળતા પણ મળી.
મહિલાનું કાઉન્સેલીંગ કરતાં જાણવા મળ્યું કે, આ મહિલા ૧ મહિના પહેલા જૂનાગઢ થી એકલા નીકળી ગયા હતા અને ત્યાંથી ભૂલથી મોરબીના અદેપર ગામે પહોંચ્યા હતા. જોકે, અદેપર ગામના સરપંચે સમય સૂચકતા વાપરીને ૧૮૧ મહિલા અભયમ્ નો સંપર્ક કરાયો હતો, જ્યાંથી ૧૮૧-મહિલા અભયમ દ્વારા તે મહિલાને આશ્રય માટે સખી-વન સ્ટોપ સેન્ટર પર રીફર કરવામાં આવ્યા હતા.
મહિલા જૂનાગઢ ના હોવાથી જૂનાગઢ ના પોલીસ સ્ટેશનનો સંપર્ક સખી- વન સ્ટોપ સેન્ટર –મોરબીના સ્ટાફ દ્વારા કરવામા આવ્યો હતો. જૂનાગઢ પોલીસ સ્ટાફની મદદથી મહિલાના જ્ઞાતિના આગેવાન સાથે વાતચીત દરમિયાન મહિલાના પરિવાર વિશે માહીતી મેળવવામાં આવી અને તે પરથી જાણવા મળ્યું કે મહિલા જૂનાગઢ માં તેમના પરીવારમાં બે બાળકો સાથે જ રહેતા હતા.
મહિલાના પુત્રનો સંપર્ક થતા મહિલાને લેવા માટે જૂનાગઢ થી મોરબી સખી વન સ્ટોપ સેન્ટર ખાતે બોલાવવામાં આવ્યા. માત-પુત્રનો મિલાપ થતા બન્નેના આંખોમાં હર્ષના આંસુ છલકાયા હતા. મહિલા અને તેના પુત્રોએ સખી- વન સ્ટોપ સેન્ટરના સ્ટાફનો ખૂબ જ આભાર માન્યો હતો. આમ, મોરબીના સખી વન સ્ટોપ સેન્ટર અને ૧૮૧ મહિલા અભયમ હેલ્પ લાઇન દ્વારા બે બાળકની માતાને પોતાના પરિવાર સાથે ફરીથી મિલન કરાવ્યું હતું.
મોરબી જિલ્લામાં વાંકાનેર પાસેના મચ્છુ ૧ ડેમ સિંચાઈ યોજનામાંથી બામણબોર ઉદવહન સિંચાઈ યોજના માટે બનાવવામાં આવેલ પંપિંગ સ્ટેશનનું કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ શાસ્ત્રોક્ત વિધિ કરી લોકાર્પણ કર્યું હતું.
મચ્છુ ૧ ડેમ સિંચાઈ યોજનામાંથી પાણી ઉદવહન કરી બામણબોર નાની સિંચાઈ યોજનાના લાભાર્થી ખેડૂત ખાતેદારોને સિંચાઈનું પાણી આપવા માટે જળ સંપતિ વિભાગ...
પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતીની એક પદ્ધતિ નથી, પરંતુ એક જીવનશૈલી છે, જે પ્રકૃતિ સાથે સંનાદમાં રહીને વસુંધરા અને જીવસૃષ્ટિનું સંવર્ધન કરે છે. આ પદ્ધતિમાં રાસાયણિક ખાતરો, જંતુનાશકો અને કૃત્રિમ ઉપાયોનો ઉપયોગ ટાળીને જમીનની ફળદ્રુપતા, પાણીની શુદ્ધતા અને જૈવવિવિધતાને જાળવવા પર ભાર મૂકવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિ એ પૃથ્વીને...
ભારત સરકાર દ્વારા મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ત્રણ આયુષ્માન આરોગ્ય મંદિરોને બાર સર્વિસ પેકેજ માટે રાષ્ટ્રીય કક્ષાનું NQAS (National Quality Assurance Standards) પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. આ સિધ્ધિ જિલ્લામાં આરોગ્ય સેવાઓની ગુણવતા અને પ્રભાવશીલતાનું ઉન્નત સ્તર પ્રદર્શીત કરે છે.
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં કેંદ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલ નેશનલ...