આજે ટંકારા અને વાંકાનેર તાલુકાના માજી સૈનિકો દ્વારા હોટેલ આર્ય પેલેસ, મીટિંગ રાખવામાં આવેલી જેમાં ટંકારા અને વાંકાનેર તાલુકાનું માજી સૈનિક સંગઠનની સ્થાપના કરવામાં આવી જેનું નામ શ્રી દયાનંદ માજી સૈનિક સંગઠન ટંકારા અને વાંકાનેર તા. રાખવામાં આવ્યું,
જેમાં ઉપસ્થિત ગુજરાત માજી સૈનિક સંગઠનના પ્રમુખ જીતેન્દ્રભાઈ નિમાવત સાહેબ, મહામંત્રી ધીરજભાઈ ઠુંમર સાહેબ, રાજકોટ માજી સૈનિક સંગઠનના ઉપપ્રમુખ ક્રિષ્નસિંહ જાડેજા, તથા મહિલા ઉપ પ્રમુખ અલકાબેન પંડ્યા (એડવોકેટ), અને ધ્રોલ તાલુકાના હરધોળ માજી સૈનિક ના પ્રમુખ ગિરિરાજ સિંહ, હાજરી આપેલ અને ટંકારા અને વાંકાનેર તાલુકાના માજી સૈનિકો ઉપસ્થિત રહેલ, મિટિંગમાં આપણને માજી સૈનિકોના હક અંગે ચર્ચા કરેલ જેમાં આપણા ગુજરાત માજી સૈનિકો ના ૧૪ મુદ્દાઓ છે જે વિશે આપણને પ્રમુખ નિમાવતભાઈ દ્વારા જાણકારી આપેલ અને 6 June 2022 ના રોજ શાહીબાગ, અમદાવાદ માજી સૈનિક અને વીર નારીઓ સન્માન યાત્રાનું આયોજન રાખેલ છે તેના માટે આપણને આમંત્રણ આપેલ અને ખૂબ બહોળી સંખ્યામાં હાજરી આપવા માટે કહેલું છે, અને શ્રી દયાનંદ માજી સૈનિક સંગઠન માં હોદ્દેદારો નિમણૂક કરવા માં આવ્યા, જેમાં પ્રમુખ ચેતનભાઇ એન પટેલ, ઉપપ્રમુખ ખોડાભાઈ ઝાપડા , મહા મંત્રી વનરાજસિંહ, મહામંત્રી મગનભાઈ ભાગ્યા, ખજાનચી અને સલાહકાર મયુરસિંહ ઝાલા, તથા વાંકાનેરના પ્રમુખ ઉપપ્રમુખ મહામંત્રી ની નિમણૂક કરેલ
મોરબી: શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત બાલસભા, પર્યાવરણ જાગૃતિ માટે રેલી તથા વિવિધ રમતોનું આયોજન કરવામાં આવેલ.
જેમાં બાલવાટિકા તથા ધો. 1 થી 8 સુધીના તમામ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો તેમાં પ્રથમ શાળાનાં શિક્ષક ચિકાણી રમણિકલાલ દ્વારા બાળકોને વિવિધ...
મોરબી જીલ્લાના એક દર્દી જેમની ઉમ્ર 55 વર્ષ છે જેમને બેભાન હાલત માં આયુષ હોસ્પિટલ ખાતે ઈમરજન્સી માં લાવવામાં આવ્યા હતા. જ્યાં ડૉ. ઉત્તમ પેઢડીયા સાહેબ કે જે જનરલ ફીઝાશિયન તેમજ ક્રીટીકલ સ્પેશિયાલિસ્ટ છે. તેમને દર્દી ની તપાસ કરતા તેમજ દર્દી ના સગા ને દર્દી ની જાણકારી પુછતા જણાયું...
મોરબીના પંચાસર રોડ પર આવેલ રાજનગર સોસાયટી ખાતે રાજનગર યુવા ગ્રુપ દ્વારા આજે રવિવારના રોજ શ્રી હરસિધ્ધ હનુમાનજી મંદિર ખાતે ૧૭૦૦ જેટલા અલગ અલગ ફુલ, ફળ અને છોડ નું વિતરણ કરાયું હતું.
જેમાં ૯૫૦ થી વધુ લોકોએ લાભ લીધો હતો. સવારે ૮:૩૦ થી રોપા લેવા માટે લોકોનો ભારે ઉત્સાહ જોવા...