મોરબી : નમસ્કાર ગુજરાતના સહયોગથી અને ડો. કલ્પેશ પટેલ આયોજીત સમગ્ર ગુજરાત પાટીદાર રત્ન સન્માન સમારોહ – ૨૦૨૨ નું આયોજન સ્વામીનારાયણ વિદ્યાધામ -હાથીજણ અમદાવાદ ખાતે તા. ૨૧/૦૫/૨૦૨૨ ના રોજ કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્યમાં વિવિધ ક્ષેત્રોમાં પોતાનું આગવું પ્રદાન આપી પોતાની વિશેષ ઓળખ ઉભી કરનાર ૧૪૩ પાટીદાર રત્નોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
શિક્ષણક્ષેત્રે નવીન કાર્ય કરનાર સમગ્ર ગુજરાતમાંથી ૧૯ જેટલા પાટીદાર શિક્ષક ભાઈ બહેનોને પણ આ એવોર્ડ આપવામાં આવ્યા હતાં જેમાં મોરબી જિલ્લામાંથી નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાના ઈનોવેટીવ શિક્ષક અશોકભાઈ કાંજીયાની પસંદગી થતા તેમને સ્વામિનારાયણ વિદ્યાધામ-હાથીજણના સંસ્થાપક શ્રીજી સ્વામી તથા ગૌભક્ત કાલીદાસજીબાપુ-આનંદાશ્રમ દેકાવાળાના હસ્તે પાટીદાર રત્ન એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ મળતા અશોકભાઈ કાંજીયાએ પોતાનું ગામ, શાળા તથા પાટીદાર સમાજનું ગૌરવ વધાર્યું છે જે બદલ તેમને સમગ્ર શાળા પરિવાર તેમજ મોરબી જિલ્લા પાટીદાર પરિવાર વતી અભિનંદન પાઠવવામાં આવ્યાં હતા.
ઓનેસ્ટ ચેક પોસ્ટ નજીક કચ્છ-મોરબી હાઇવે ઉપરથી બ્રેજા ગાડીમાં ભરેલ વિદેશી દારૂની બોટલો નંગ-૩૩૩ કી રૂ. ૩,૮૯,૭૦૦/- તથા કાર મોબાઇલ ફોન મળી કુલ રૂ ૮,૦૪,૭૦૦/- ના મુદામાલ સાથે એક આરોપીને માળીયા (મીં) પોલીસે ઝડપી પાડયો છે.
માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પોલીસને સંયુક્તમાં ખાનગી...
હળવદ પોલીસ સ્ટેશનના અપહરણ મના ગુનામાં નાસતા ફરતા આરોપી તથા ભોગબનનારને મહેસાણા જીલ્લાના બાવલુ ખાતેથી મોરબી AHTU ટીમે ઝડપી પાડયા છે.
મોરબી જીલ્લામાં અપહરણ તથા ગુમ થયેલ વ્યકતિઓને શોધી કાઢવા AHTU ટીમને જરૂરી માર્ગદર્શન તથા સુચના કરેલ હોય જેથી મોરબી AHTU ટીમના સ્ટાફને ખાનગી રાહે માહીતી મળેલ હતી કે, હળવદ...
ટંકારામાં આવેલ યુવકના મકાન પર ગેરકાયદેસર કબજો કરી મકાન પચાવી પાડનાર પાંચ ઇસમો વિરુદ્ધ યુવકે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બેલા રંગપર ગામે રહેતા અને વેપાર કરતા અંતિમસિંહ બનેસંગ જાડેજા (ઉ.વ.૩૯) એ આરોપી અમીનશા અલીશા સરવદી, આસીફ અલીશા સરવદી, અલ્તાફ અલીશા સરવદી, અબ્દુલ...