Friday, June 20, 2025

મોરબી:ઓરેવા ગ્રુપે પીડિતોના વળતર માટે 14.62 કરોડ જમા કરાવ્યા !

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ઓરેવા ગ્રૂપે મંગળવારે ગુજરાત હાઈકોર્ટને જાણ કરી હતી કે તેણે ફેબ્રુઆરીમાં હાઈકોર્ટના નિર્દેશ મુજબ મોરબી બ્રિજ દુર્ઘટનાના પીડિતોને વચગાળાના વળતર તરીકે ચૂકવવા માટે 14.62 કરોડ રૂપિયાની સમગ્ર રકમ રાજ્ય કાનૂની સેવા સત્તામંડળમાં જમા કરાવી છે. ગયા વર્ષે 30 ઓક્ટોબરે મોરબી શહેરમાં ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો, જેમાં 135 લોકોના મોત થયા હતા.

ઓરેવા ગ્રૂપ બ્રિજના સંચાલન અને જાળવણી માટે જવાબદાર હતું. કંપનીએ કાર્યકારી ચીફ જસ્ટિસ એ.જે. દેસાઈ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ડિવિઝન બેન્ચને જાણ કરી હતી કે તેણે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળમાં 14.62 રૂપિયાની સમગ્ર રકમ જમા કરી છે. આ રકમ પીડિતોને વચગાળાની રાહત તરીકે ચૂકવવામાં આવશે.કોર્ટે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના સભ્ય સચિવને આદેશ આપ્યો હતો કે તેઓ પીડિતોની યોગ્ય ચકાસણી કર્યા પછી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને સંબંધિત સરકારી અધિકારીઓ સાથે સંકલન કરીને વિતરણની ખાતરી કરે. રાજ્ય સરકારે મંગળવારે કોર્ટને એવી પણ જાણ કરી હતી કે તેણે તેના 11 એપ્રિલના આદેશ મુજબ મોરબી નગરપાલિકાને સુપરસીડ કરી છે. કોર્ટે કંપનીને 22 ફેબ્રુઆરી, 2023 ના રોજ દરેકના સંબંધીઓને વચગાળાના વળતર તરીકે રૂ. 10 લાખ ચૂકવવા નિર્દેશ આપ્યો હતો. અકસ્માતમાં 135 મૃતકો અને ઘાયલ 56 લોકોમાંથી પ્રત્યેકને 2 લાખ રૂપિયા લેખે આપવામાં આવશે. કોર્ટે કંપનીને વચગાળાના વળતરની રકમ બમણી કરવાનો નિર્દેશ આપ્યો હતો જે તેણે શરૂઆતમાં મૃતકોના પરિવારજનો અને ઘાયલોને ચૂકવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર