૬ થી ૫૯ વર્ષ વયજૂથની વિવિધ સ્પર્ધાઓમાં ૧૦ જિલ્લામાંથી આવેલા અંદાજીત ૭૫૦ થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો
મોરબી ખાતે મધ્ય ગુજરાત ઝોન પ્રદેશ કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબી સંચાલીત મધ્ય ઝોન પ્રદેશ કક્ષા કલા મહાકુંભનું આયોજન તા. ટંકારાના વિરપર ખાતે આવેલી નાલંદા વિદ્યાલયમાં કરવામાં આવ્યું હતું.
પ્રદેશ કક્ષા કલા મહાકુંભમાં કુલ ૭ સ્પર્ધાઓનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગરબા, સર્જનાત્મક કારીગરી, કથ્થક, ઓરગન, વાંસળી, સુગમ સંગીત, ગઝલ શાયરી લેખન જેવી સ્પર્ધાઓ સમાવિષ્ટ હતી. આ સ્પર્ધાઓ ત્રણ અલગ અલગ વયજુથ જેમ કે, ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, તેમજ ૨૧ થી ૫૯ વર્ષમાં યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં જુદા જુદા દસ (૧૦) જિલ્લામાંથી આવેલ અંદાજીત ૭૫૦ થી વધુ કલાકારોએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી. આ સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ અને દ્વિતીય ક્રમના સ્પર્ધકો રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે.
આ કલા મહાકુંભમાં પૂર્વ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા, મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃત્તિયા, જિલ્લા શિક્ષણાધિકારી નિલેશભાઈ રાણીપા, નાલંદા વિદ્યાલયના ટ્રસ્ટીઓ સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી કલાકારોને પ્રોત્સાહન પુરૂં પાડ્યું હતું તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસની યાદીમાં જણાવાયું છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...