મોરબીઃ આયોધ્યાપુરી મેઈન રોડ પર જલારામ પ્રાર્થના મંદિરના સેજપાલ હોલ ખાતે તા. 05-06-2022 ને રવિવારના રોજ રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા ગીર આયુર્વેદ સ્વાસ્થ્યમંગલ વૈદિક પરંપરાથી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિદાન કેમ્પ સવારે 9 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી અને બપોરે 2-30 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી યોજાશે.
નિદાન કેમ્પમાં વર્ષોના અનુભવ અને આયુર્વેદના સમન્વથી શરીરના જટીલ રોગોનું નાડી પરિક્ષણ દ્વારા યોગ્ય નિદાન, માર્ગદર્શન અને ઈલાજ કરવામાં આવશે. જેમાં ગીર (સાસણ)ના પ્રખર વૈદ્ય જીજ્ઞેશભાઈ પટેલ ઉપસ્થિત રહીને દર્દીઓનું નિદાન કરશે. આ નિઃશુલ્ક નિદાન કેમ્પમાં જુના, હઠીલા રોગો હોય તેવા દર્દીઓને ખાસ મુલાકાત લેવા જણાવાયું છે. આ ઉપરાંત હાથ-પગ, સાયટીકા, ગોઠણ, વાની તકલીફ, સોર્યાસીસ, સ્ત્રીરોગ, કમરના મણકાને લગતી તકલીફ,ડાયાબિટીસ જેવા જટીલ રોગનું નિદાન કરવામાં આવશે. નિઃશુલ્ક નિદાન કેમ્પનો લાભ લેવા માટે અગાઉથી નામ નોંધણી કરાવવી ફરજિયાત છે. નામ નોંધાવવા માટે અશોકભાઈ મહેતા (મો.નં.- 99784 42851), હરીશભાઈ શેઠ (મો.નં.- 93761 61406), સિદ્ધાર્થભાઈ જોષી (મો.નં.- 92288 97392) અથવા મો.નં.- 63563 51115 પર સંપર્ક કરવા જણાવાયું છે.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-વાંકાનેર દ્વારા તાલુકા કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું બેઠકની શરૂવાત સૌ પ્રથમ ભારતીય સંસ્કૃતિ મુજબ સરસ્વતી વંદના કરીને કરવામાં આવી, ત્યારબાદ કારોબારી બેઠકમાં ઉપસ્થિત મોરબી જિલ્લાના અધ્યક્ષ, સિનિયર ઉપાધ્યક્ષ ઉપસ્થિત રહ્યા તેમનું તાલુકાના અધ્યક્ષ અશોકભાઈ સતાસિયા દ્વારા દરેક કાર્યકર્તાનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું.
બેઠકમાં સંગઠનનો વ્યાપ...
હળવદ તાલુકાના જુના ઇશનપુર ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી હોય જેમાં વૃદ્ધ તથા તેમના સમાજના લોકો સરપંચ તથા સભ્યોમાં ઉભા રહેતા આરોપીઓને તે ન ગમતા વૃદ્ધને 19 શખ્સોએ ધોકા પાઈપ વડે મારમાર્યો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જુના ઇશનપુર ગામે રહેતા સનાભાઈ કાનાભાઇ મકવાણા...
ટંકારાના ગજડી ગામના આધેડે મહિલા સાથે લીવ ઇન રીલેશનશીપ નો કરાર કરેલ હોય જેથી જુદી જુદી કોર્ટ મેટર ચાલતી હોય જેમાં આધેડના ફોન પર એક શખ્સે મેસેજ કરી આધેડને ખોટા કેસ કરી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી આપી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા...