મોરબી આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો
તાજેતરમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા મળે જેમાં આમ આદમી પાર્ટીના સદસ્ય દ્વારા પ્રજા હિત લક્ષી ના મુદ્દા ઉપર ચર્ચા કરવાની માંગ કરતા ચર્ચા કર્યા વગર ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા સામાન્ય સભાને પૂર્ણ કરી દીધેલ જેનો આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો વિરોધ કરેલ અને સભાખંડમાં જ ધારણા પર બેસી ગયેલ. સભાખંડમાં એક રાત વિતાવ્યા બાદ સવારે કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા આમ આદમી પાર્ટીના તમામ સદસ્યોને બળજબરીપૂર્વક પોલીસનો ઉપયોગ કરી સભાખંડમાં થી બહાર કાઢવામાં આવ્યા જે દરમિયાન અનેક કોર્પોરેટરો ને ઇજાઓ પહોંચી તેમજ મહિલા કોર્પોરેટરના કપડાં ફાડી લોકશાહીનું ખુલ્લેઆમ ચીર હરણ કરવામાં આવ્યું જે ઘટના તમે આવતા સમગ્ર ગુજરાતમાં પડદો પડી ગયો આબાદ આમ આદમી પાર્ટી દ્વારા આ સમગ્ર મામલે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા જેના ભાગરૂપે આજરોજ આમ આદમી પાર્ટી મોરબી દ્વારા ગાંધી ચોક વિસ્તારમાં કાર્યકરો એકઠા થઇ વિરોધ દર્શાવ્યો અને લોકશાહી બચાવો ના નારા લગાવ્યા…
મોરબીના લિલાપર ઘુનડા રોડ પર ઉપર આવેલ શિવમ પાર્ટી પ્લોટ થી લીલાપર ગામની સીમ વચ્ચે ગાયત્રી સ્ટોન ભઈડીયાથી આગળ વાડીના રોડ પર બાઈક પર ત્રણ શખ્સો આવી કોઈ કારણસર યુવકને મારી નાખવાના ઈરાદાથી છરી વડે ઇજા કરી મુંઢમાર માર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના લિલાપર ગામ નવા...
મોરબી: સંત શિરોમણીશ્રી પૂ.જલારામ બાપા ની ૧૪૫મી પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ ધામ ખાતે સ્વ.દેવરામભાઈ કાથરાણી (હ.સ્વ.મનસુખભાઈ દેવરામભાઈ, જગદીશભાઈ દેવરામભાઈ, નિતીનભાઈ દેવરામભાઈ) પરિવાર ના સહયોગથી ધૂન-ભજન, મહાઆરતી, મહાપ્રસાદ સહીતનાં કાર્યક્રમો યોજાયા હતા.
જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનોએ ઉપસ્થિત રહી પૂ.બાપાની મહાઆરતીનો લાભ લીધો હતો તેમજ મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.
મોરબી મહાનગરપાલિકાના ફૂડસેફટી ઇન્સ્પેકટર દ્વારા શહેરમાં હોટેલ, રેસ્ટોરન્ટ, મીઠાઇ, ફરસાણના વિક્રેતાને અને ડેરી સંચલકોને ત્યાં ચેકિંગ કામગીરી હાથ ધરી હતી.
જેમાં ફૂડ શાખા એ લાયસન્સ અને સ્વછતા અંગેની સૂચના વેપારીઓને પાઠવી હતી. સ્વછતાનું ધોરણ ન જળવાય તેવા 15 મીઠાઇ ફરસાણ, ડેરી, હોટલ, રેસ્ટોરન્ટના સંચાલકોને નોટિસ પાઠવી હતી, તથા મોરબીની જુદી...