ગત અઠવાડિયે હળવદ ના જી. આઇ. ડી. સી ખાતે થયેલ ગોઝારી દુર્ઘટના માં પોતાના ધર્મપતિ ને ગુમાવનાર બહેનો એટલે કે ગંગા સ્વરૂપ (વિધવા બહેનો) ને ગંગા સ્વરૂપ પેન્શન યોજના ના મંજૂરી આદેશ પત્ર બહેનો ને સુપ્રત કરવામાં આવ્યા હતા આ યોજના અંતર્ગત ગંગા સ્વરૂપ બહેનો ને આજીવન દર મહિને ૧૨૮૦/- રૂપિયા પેન્શન મળસે
જે તેમના બેંક એકાઉન્ટ માં જમાં થશે તે અંતર્ગત ગંગા સ્વરૂપ બહેનો (૧) ગં.સ્વ શાંતાબેન રમેશભાઈ પીરાણા , (૨) ગં.સ્વ રમીલાબેન રાજેશભાઈ મકવાણા , (૩) ગં.સ્વ શારદાબેન રમેશભાઈ મકવાણા ને આજરોજ મામલતદાર કચેરી ખાતે ગંગા સ્વરૂપ પેન્શન યોજના અંતર્ગત સહાય અંગે ના યોજના ના મંજૂરી આદેશ પત્ર સુપ્રત કરાયા હતા આ કાર્યક્રમ માં ડૉ.દિપીકાબેન સરડવા , ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા , જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા , મામલતદાર નાનજીભાઈ ભાટી , રણછોડભાઈ દલવાડી , રમેશભાઈ પટેલ , સંગીતાબેન ભીમાણી , સમાજ સુરક્ષા વિભાગ ના રંજનબેન મકવાણા , વાસુદેવભાઇ સીનોજીયા , કેતનભાઈ દવે ,વલ્લભભાઈ પટેલ ,જશુબેન પેટલ , ઉર્વશિબેન પંડ્યા , તપન દવે સહિત ઉપસ્થિત રહી અને આગામી સમય માં સર્વે અગ્રણીઓ અને તંત્ર આ પરિવારો સાથે છે તેવી હુંફ આપી હતી તેમજ જે લોકો એ પોતાના પિતા ની છત્રછાયા ગુમાવી છે અને માતા હૈયાત છે તેવા સિંગલ પેરેન્ટ પાંચ બાળકો છે તેઓને પણ આગામી સમય માં દર મહિને ૩૦૦૦ રૂપિયા ની સહાય માટે ની કામગીરી સમાજ સુરક્ષા વિભાગ ના અધિકારી અનીલાબેન પીપલીયા ના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી છે
અત્યાર સુધીના ૪૬ કેમ્પ માં કુલ ૧૩૩૪૩ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું.
સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ -રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ- મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ,...
મોરબી જિલ્લામાં શિક્ષણ સિવાયના અનેક કાર્યક્રમોથી શિક્ષકો ત્રાહિમામ
ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકોની સાથે મોરબી જિલ્લાના શિક્ષકોની દશા ખુબજ કફોડી છે. શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ત્યારથી એક પછી એક અનેક કાર્યક્રમોની ભરમાર ચાલુ જ છે. શરૂઆતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કેટલાય શિક્ષકો અને આર.ઓ.તરીકેની કામગીરીના કારણે બાળકો ભણતરથી દૂર રહ્યા ચૂંટણી બાદ...
મોરબીના મહેન્દ્રનગર ગામની સીમમાં ટીંબાવાડી વિસ્તારમાં આવેલ જી.ઈ.બી.ના ટીસીમા શોક લાગતા અજાણ્યા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામની સીમમાં ટીંબાવાડી વિસ્તારમાં જગદીશભાઈ બેચરભાઈ કાવરની વાડીની સામે આવેલ જી.ઈ.બી.ના ટીસીમાં કોઈ કારણોસર ઈલેકટ્રીક શોક લાગતા ૩૦ વર્ષીય અજાણ્યા યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી...