વિરપરડા ગામના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મોડપર જવું પડતું હોય છે. ત્યારે ધોરણ ૬ થી ૮ ના કુલ ૨૨ થી ૨૫ જેટલા વિદ્યાર્થીઓને હાલ શાળા પહોંચવા માટે ખૂબ તકલીફ ભોગવવી પડતી હોય છે.હાલ નેશનલ હાઈવેનું કામ કાજ શરૂ હોય ત્યારે અવારનવાર ત્યાં અકસ્માત સર્જાય છે ત્યારે વિદ્યાર્થીઓને જીવનું જોખમ હોય ત્યારે ગામના સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને મોળપર જવા માટે સ્પે. એસ.ટી. ફેરો સેટ કરી આપવા માંગ કરી છે.
વિદ્યાર્થીઓની શાળા નો સમય સવારે ૧૧ થી ૫ વાગ્યા નો હોય ત્યારે મોરબી થી વિરપરડા માટેની બસ નો સમય સવારે ૯:૩૦ કરવામાં આવે તો રિટર્નમા તમામ વિદ્યાર્થીઓ વિરપરડા થી મોડોપર સમયસર પહોંચી જાય. સાંજના સમયે કુંતાસી વાળો ફેરો ૩:૪૫ ની જગ્યા એ ૪:૧૫ કરવામાં આવે તો તમામ વિદ્યાર્થીઓ સમયસર ઘરે પહોંચી જાય એ માટેની વ્યવસ્થા ગોઠવવા માટે તેમજ તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓ માટે સ્પે. ફેરો આપવામાં આવે તેવી માંગ કરી છે.
મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાની રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે આગામી તા.૦૧-૦૯-૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે આઈ.ટી.આઈ.-મહેન્દ્રનગર ખાતે મોરબી ક્લસ્ટર કક્ષાના મેગા ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ આયોજન અનિવાર્ય સંજોગોના કારણે રદ કરવામાં આવ્યું છે. જેના બદલે નિયત સ્થળ અને સમયે તા.૦૧-૦૯-૨૦૨૫ ના રોજ મોરબી તાલુકા કક્ષાનાં...
મોરબી જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે ગણેશ ચતુર્થિના પર્વ નિમિતે ભગવાનશ્રી ગણેશજી પ્રતિમાઓની સ્થાપના થનાર છે. જેથી તા.૨૭/૦૮/૨૦૨૫ ના રોજ ગણપતિ મૂર્તિની સ્થાપના થયા બાદ ગણપતિ વિસર્જન સુધીના સમય દરમિયાન ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે.
બાદમાં ગણપતિ સ્થાપના સ્થળથી વિસર્જન સરઘસ કાઢી મૂર્તિઓને પાણીમાં વિસર્જન કરી ઉત્સવની ભવ્ય ઉજવણી...
આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા દ્વારા માળિયા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માનવસર્જિત જળબંબાકાર પુરની સ્થિતિ નિવારવા માળિયા મામલતદારને આવેદનપત્ર પાઠવી ૧૫ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
આજે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા માળિયા શહેર અને માળિયા તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં માનવસર્જિત પુરની સ્થિતિ વારંવાર સર્જાતી હોઈ છે ત્યારે...