વિરપરડા ગામના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મોડપર જવું પડતું હોય છે. ત્યારે ધોરણ ૬ થી ૮ ના કુલ ૨૨ થી ૨૫ જેટલા વિદ્યાર્થીઓને હાલ શાળા પહોંચવા માટે ખૂબ તકલીફ ભોગવવી પડતી હોય છે.હાલ નેશનલ હાઈવેનું કામ કાજ શરૂ હોય ત્યારે અવારનવાર ત્યાં અકસ્માત સર્જાય છે ત્યારે વિદ્યાર્થીઓને જીવનું જોખમ હોય ત્યારે ગામના સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને મોળપર જવા માટે સ્પે. એસ.ટી. ફેરો સેટ કરી આપવા માંગ કરી છે.
વિદ્યાર્થીઓની શાળા નો સમય સવારે ૧૧ થી ૫ વાગ્યા નો હોય ત્યારે મોરબી થી વિરપરડા માટેની બસ નો સમય સવારે ૯:૩૦ કરવામાં આવે તો રિટર્નમા તમામ વિદ્યાર્થીઓ વિરપરડા થી મોડોપર સમયસર પહોંચી જાય. સાંજના સમયે કુંતાસી વાળો ફેરો ૩:૪૫ ની જગ્યા એ ૪:૧૫ કરવામાં આવે તો તમામ વિદ્યાર્થીઓ સમયસર ઘરે પહોંચી જાય એ માટેની વ્યવસ્થા ગોઠવવા માટે તેમજ તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓ માટે સ્પે. ફેરો આપવામાં આવે તેવી માંગ કરી છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...