મોરબીના કેનાલ રોડ પર જઈ રહેલ પિતા પુત્રને અકસ્માત નડ્યો હતો. રાત્રીના સમયે લિલાપર કેનાલ રોડ પર જઈ રહેલ પિતા પુત્રને કાર ચાલકે હડફેટે લેતા પુત્રનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું અને પોતાને સારવાર આર્થે ખસેડવામાં આવ્યા હતા.
બનાવ ની મળતી વિગતો અનુસાર રવાપરના બોનીપાર્ક આસોપાલવ સોસાયટીમાં રહેતા દિવ્યેશભાઈ પટેલ તેમજ તેમના પિતા કેશવજીભાઇ પટેલ બંને તારીખ ૨૬/૬ ની રાત્રે લિલાપર કેનાલ રોડ પર પોતાનું એક્ટિવા મોપેડ લઈ ને જઈ રહ્યા હોય ત્યારે. એક ઈસમ પુર ઝડપે કાર ચલાવી રહ્યો હોય અને તેમના એક્ટિવા મોપેડ સાથે કાર અથડાઈ હતી. બાદ તે કાર ચાલક જતો રહ્યો હોય. ત્યારે પુત્ર દિવ્યેશ પટેલ નું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. ત્યારે બીજી તરફ કેશવજીભાઇ ને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે મોરબી તાલુકા પોલીસ દ્વારા GJ-36-L-4865 કારના ચાલક સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...