મોરબીના કેનાલ રોડ પર જઈ રહેલ પિતા પુત્રને અકસ્માત નડ્યો હતો. રાત્રીના સમયે લિલાપર કેનાલ રોડ પર જઈ રહેલ પિતા પુત્રને કાર ચાલકે હડફેટે લેતા પુત્રનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું અને પોતાને સારવાર આર્થે ખસેડવામાં આવ્યા હતા.
બનાવ ની મળતી વિગતો અનુસાર રવાપરના બોનીપાર્ક આસોપાલવ સોસાયટીમાં રહેતા દિવ્યેશભાઈ પટેલ તેમજ તેમના પિતા કેશવજીભાઇ પટેલ બંને તારીખ ૨૬/૬ ની રાત્રે લિલાપર કેનાલ રોડ પર પોતાનું એક્ટિવા મોપેડ લઈ ને જઈ રહ્યા હોય ત્યારે. એક ઈસમ પુર ઝડપે કાર ચલાવી રહ્યો હોય અને તેમના એક્ટિવા મોપેડ સાથે કાર અથડાઈ હતી. બાદ તે કાર ચાલક જતો રહ્યો હોય. ત્યારે પુત્ર દિવ્યેશ પટેલ નું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. ત્યારે બીજી તરફ કેશવજીભાઇ ને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે મોરબી તાલુકા પોલીસ દ્વારા GJ-36-L-4865 કારના ચાલક સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...