મોરબી જિલ્લામાં વ્યાજ માફિયા નો પગ પેસારો ધીમે ધીમે વધી રહ્યો છે. વ્યાજવટાવ નો વ્યવસાય કરતા અમુક અવાર નવાર લોકોને દબાણ કરતા હોય છે. જેના કારણે લોકો આત્મહત્યા કરવા સુધીના પગલાં ભરી લેતા હોય તેવા કિસ્સાઓ પણ ઘણા સામે આવ્યા છે. ત્યારે મોરબી પોલીસ દ્વારા વ્યાજવટાવનો ભોગ બનનાર લોકો માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે.
જિલ્લામાં વસતા કેટલાક લોકો – ધંધાર્થીઓ પોતાની મજબૂરી ના કારણે આવા વ્યાજ માફિયાઓ પાસે થી વ્યાજ પર પૈસા લ્યે છે અને થોડો સમય ઉચું વ્યાજ આપીને પૈસા લ્યે છે પરંતુ પછી વ્યાજ આપવાની ક્ષમતા હોતી નથી. વ્યાજવટાવના ચક્રમાં ફસાય જાય છે. ત્યારે આ વ્યાજ માફીયાઓ તેમની મજબૂરીનો લાભ ઉઠાવી હેરાન પરેશાન કરવામાં આવે છે. ત્યારે આવા વ્યાજના ચક્રમાં ફસાયેલ લોકો માટે પોલીસ દ્વારા હેલ્પ લાઇન નંબર ” ૯૩૧૬૮૪૭૦૭૦” જાહેર કરવામાં આવ્યો છે
ઉપરાંત પોલીસ દ્વારા બેંક સિવાય કોઈ સાથે પૈસાની લેણદેણ ના કરવી તેમજ માન્યતા પ્રાપ્ત કરેલ સંસ્થાઓ સાથે જ નાણાંની લેવડ દેવડ કરવાની અપીલ કરી છે.
માળીયા મીયાણા તાલુકાના નવાગામની સીમમાં આવેલ કૂવામાં પડી ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ માળીયા મીંયાણામા કોળીવાસમા રહેતા ગોવિંદભાઈ અરજણભાઇ વાઘેલા (ઉ.વ.૪૦) નામનો યુવક માળિયા તાલુકાના નવાગામ સીમમાં આવેલ કૂવામાં કોઈ કારણસર પડી ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે માળિયા તાલુકા પોલીસે મૃત્યુ...
મોરબી શહેરમાં આવેલ પાવન પાર્કમાં રહેતા સામાજિક કાર્યકરે હાથ ઉછીના રૂપિયા આપેલ હોય જે લેવા કુમાર ઇન્ડસ્ટ્રીઝ ખાતે ગયેલ હોય બાદ પરત ફરતા મોરબીના લાલપર ગામની સીમમાં આવેલ કેલ્વિન એન્ટરપ્રાઈઝ પાસે જાહેર રોડ પર ચાર શખ્સોએ સામાજિક કાર્યકરને લાકડાની હોકી વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ...