હળવદ વિસ્તારમાં બાકી ખેતીવાડી વીજ કનેક્શન અંગે જરૂરી કાર્યવાહી કરવા સુચના અપાઈ
જિલ્લા કલેકટર જે.બી.પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં કલેકટરે જિલ્લાના વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરી સંલગ્ન વિભાગોને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
આ તકે સુંદરગઢ, માયાપુર, સૂર્યપરના સનદના પ્રશ્નોનું નિરાકરણ કરવા તાકીદ કરી હતી. તેમજ હળવદ વિસ્તારમાં બાકી ખેતીવાડી વીજ કનેક્શન અંગે પણ જરૂરી કાર્યવાહી કરવા પીજીવીસીએલ વિભાગને સુચના આપી હતી.
આ ઉપરાંત સી.એમ. ડેસ્ક બોર્ડ પર મુકાયેલા પ્રશ્નો જેવા કે, માળિયા-હરીપર રોડ પરના બેઠા પુલના રીપેરીંગની કામગીરી, ટંકારામાં ઓવર બ્રીજની અધુરી કામગીરી, નટરાજ ફાટક પાસેના ખાડા અને હોર્ડિંગ હટાવવા વગેરે પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કરવા સૂચના આપી હતી. વધુમાં રાણેકપર એપ્રોચ રોડ, મયુરનગર-રાયસંગપર પુલ, દિઘડિયા-સરા રોડ પુલ તેમજ કુડા-ટીકર રોડ પરના પૂલ સંબંધિત સમસ્યાઓ ઝડપી નિવારવા પણ સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવ, નિવાસી અધિક કલેક્ટર એમ.કે.મુછાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણ, જિલ્લા શિક્ષણ અધિકારી એન.વી.રાલિયા, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના કાર્યપાલક ઈજનેર એ.એન.ચૌધરી, મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા, સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા તેમજ પીજીવીસીએલ, માર્ગ અને મકાન વિભાગ વગેરે સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...