હળવદ વિસ્તારમાં બાકી ખેતીવાડી વીજ કનેક્શન અંગે જરૂરી કાર્યવાહી કરવા સુચના અપાઈ
જિલ્લા કલેકટર જે.બી.પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં કલેકટરે જિલ્લાના વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરી સંલગ્ન વિભાગોને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
આ તકે સુંદરગઢ, માયાપુર, સૂર્યપરના સનદના પ્રશ્નોનું નિરાકરણ કરવા તાકીદ કરી હતી. તેમજ હળવદ વિસ્તારમાં બાકી ખેતીવાડી વીજ કનેક્શન અંગે પણ જરૂરી કાર્યવાહી કરવા પીજીવીસીએલ વિભાગને સુચના આપી હતી.
આ ઉપરાંત સી.એમ. ડેસ્ક બોર્ડ પર મુકાયેલા પ્રશ્નો જેવા કે, માળિયા-હરીપર રોડ પરના બેઠા પુલના રીપેરીંગની કામગીરી, ટંકારામાં ઓવર બ્રીજની અધુરી કામગીરી, નટરાજ ફાટક પાસેના ખાડા અને હોર્ડિંગ હટાવવા વગેરે પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કરવા સૂચના આપી હતી. વધુમાં રાણેકપર એપ્રોચ રોડ, મયુરનગર-રાયસંગપર પુલ, દિઘડિયા-સરા રોડ પુલ તેમજ કુડા-ટીકર રોડ પરના પૂલ સંબંધિત સમસ્યાઓ ઝડપી નિવારવા પણ સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવ, નિવાસી અધિક કલેક્ટર એમ.કે.મુછાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણ, જિલ્લા શિક્ષણ અધિકારી એન.વી.રાલિયા, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના કાર્યપાલક ઈજનેર એ.એન.ચૌધરી, મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા, સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા તેમજ પીજીવીસીએલ, માર્ગ અને મકાન વિભાગ વગેરે સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...