મોરબી જિલ્લા વહીવટી તંત્ર ખાણ ખનીજ વિભાગ કે પોલીસ ખનીજ ચોરી પર કડક કાર્યવાહી કરતા હોવાના મસમોટા દાવા કરતું હોય પણ હકિકત તો એ છે ઠેરઠેર નદીના પટ્ટમાં,પથ્થરની ખનીજ ચોરી થઈ રહી છે.ત્યારે જો કોઈ આમ નાગરિક તેની સામે ફરિયાદ કરે છે ત્યારે ખનીજ માફિયાઓએ હવે એટલી હદે બેફામ બની ગયા છે કે ખનીજ ચોરીની ફરિયાદ કરતા લોકોને પણ બેફામ મારમારી પોતાની ધાક જમાવી રહ્યા છે
આવા જ એક બેફામ બનેલ ખનીજ માફિયાએ જાંબુડિયા ગામના દલિત યુવાન કમલેશ અમરસીભાઈ ખરા પર જીવેલેણ હુમલો કરી તેના હાથ પગ ભાંગી નાખ્યા હતા ગંભીર હાલતમાં યુવકને હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતો. બનાવની મળતી માહિતી મુજબ મોરબીના જાંબુડિયા ગામમાં રહેતા અને કોંન્ટ્રાક્ટર તરીક કામ કમલેશ ખરાએ જાંબુડીયા ગામની સીમમાં ઓલ્વિન કારખાના પાછળ આ કામના આરોપી હકાભાઇ હિરાભાઇ પાંચીયાના ભાઇ ભગાભાઇ તથા જયેશભાઇ ગોલતર નાઓ ખનીજચોરી કરતા હોય જેથી તેઓના વિરૂધ્ધમાં અરજી કરેલ હોય જેનો ખાર રાખી આ કામના આરોપીઓએ એકસંપ કરી પોતાના હાથમાં લોખંડના પાઇપ તથા લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો અને યુવકને ઢોરમાર મારી હાથે પગે ભાંગી નાખ્યા હતા.તેમજ આરોપીઓએ યુવકને અનુ.જાતિના હોવાનુ જાણવા છતા જાહેર જગ્યામાં લોકો જોઇ શકે તે રીતે જાતી પ્રત્યે અપમાનીત કરી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા.બનાવ અંગે તાલુકા પોલીસે યુવકની ફરિયાદ નોંધી હતી બનાવ અંગે ડીવાયએસપી અતુલકુમાર બંસલે તપાસ હાથ ધરી હતી.
મોરબી ખાતે દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા પ.પૂ. દાદા ભગવાન ની ૧૧૮મી જન્મજયંતિ નિમિતે જોવા જેવી દુનિયા કાર્યક્રમ નું અલૌકીક આયોજન કરવામાં આવ્યુ છે. સમાજ ના ઉત્થાન તેમજ સુધારણા માટે આયોજીત આ કાર્યક્રમ માં મોરબી જલારામ ધામ ની ટીમ દ્વારા સેવા અર્પણ કરવામાં આવી હતી.
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા...
મોરબી શહેરમાં રહેતી પરિણીતાનો દિકરો તેના પતિ સાથે રહેતો હોય અને પરણીતા પોતાના દિકરાને રમાડવા માટે માતા સાથે ગયેલ હોય ત્યારે પરણિતાને તેના સસરા તથા પતિએ ઝગડો કરી માર માર્યો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ મોરબીના અરણોદયનગરમા રહેતા અને હાલ રાજકોટ...