મોરબી-રાજકોટ હાઈવે પર અવારનવાર નાના- મોટા અકસ્માત થતા હોય છે ત્યારે ફરી એકવાર મોરબી રાજકોટ હાઈવે પર મીતાણા પાસે કાર અક્સમાત સર્જાયો હતી જેમાં 2 યુવાનના મોત થયા હતા જયારે 2 યુવાનને ઈજા પહોચી હતી
બનાવની મળતી માહિતી મુજબ રાજકોટ થી મોરબી તરફ બુઘવારે વહેલી સવારે આવી રહેલી જીજે 3ઈ આર 4200 નંબરની સ્વીફ્ટ કાર મીતાણા પાસે અચાનક બેકાબુ બની હતી અને ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ઘટનામાં કારમાં સવાર 4 યુવાનોને ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા ઈજાગ્રસ્ત યુવાનો પૈકી રોહિત કોળી અને જય ચાવડાનું કમકમાટી ભર્યું મોત થયું હતું જયારે રૂપેશ ધોળકિયા અને ગોપાલ અગેચણીયાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા મોરબી રાજકોટ હાઈવેનું ફોરલેન કામ લાંબા સમયથી ચાલે છે જેના કારણે ભૂતકાળમાં જીવલેણ અક્સમાત સર્જાઈ ચુક્યા છે.
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોની નવી આગાહી જાહેર કરી છે. તેમના જણાવ્યા મુજબ આજથી રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા છે, જોકે કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. સાથે જ જુલાઈના મધ્યભાગમાં બંગાળની ખાડીમાં નવી હવામાન...
સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે દુર્ઘટનાઓનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ગઈકાલે રાંદેર વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી બે લોકોના મોતની ઘટના હજુ તાજી છે, ત્યારે આજે પાલી વિસ્તારમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વરસાદી પાણીથી ભરાયેલા ખુલ્લા ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના કરુણ મોત...