પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં બોરીયાપાટી પ્રાથમિક શાળાના 17 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ
મોરબી: રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં બોરીયાપાટી પ્રાથમિક શાળાના 18 વિદ્યાર્થીઓમાંથી 17 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ શાળા અને સમાજનું નામ રોશન કર્યું હતું.
રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી પ્રાથમિક શિષ્યવૃત્તિ પરિક્ષામાં બોરિયાપાટી પ્રાથમિક શાળાનું ખુબ જ સુંદર પરિણામ આવ્યું હતું. જેમાં 18 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ હતી. તેમાંથી 17 વિદ્યાર્થીઓ પાસ થઈ શાળાનું અને સમાજનું નામ રોશન કર્યું છે. જેથી ઉત્તીર્ણ થયેલ તમામ વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય અજીતભાઈ મોરડિયા તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે.