મોરબીના કેરાળા ગામે રહેણાંક મકાનમાંથી સોનાના દાગીના અને રોકડ સહિત 6.30 લાખની ચોરી
મોરબી: મોરબી તાલુકાના કેરાળા (હરીપર) ગામે યુવકના રહેણાંક મકાનમાંથી સોનાના દાગીના અને રોકડ સહિત ૬.૩૦ લાખની ચોરી થયાની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના કેરાળા (હરીપર) ગામે રહેતા દિલીપભાઈ કાનજીભાઇ કારાવડીયા (ઉ.વ.૪૧) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૩૧-૦૫-૨૦૨૩ થી ૦૧-૦૬-૨૦૨૩ દરમ્યાન કોઇ અજાણ્યા ચોર ઇસમે ફરીયાદીના રહેણાક મકાનના હોલની બારીની ગ્રીલ તોડી મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી મકાનના રૂમમા આવેલ બેડ(સેટી) માં રાખેલ ફરીયાદીના ખેતી પાકના વેચાણના રોકડા રૂપીયા ૩,૫૦,૦૦૦/- (સાડા ત્રણ લાખ) તેમજ સોના દાગીનાઓ જેમા (૧) સોનાની એક જોડી બંગડી વજન આશરે એક તોલુ કિ.રૂ.૪૦,૦૦૦/- (૨) એક જોડી સોનાના પાટલા વજન આશરે દોઢ તોલા કિ.રૂ.૬૦,૦૦૦/- (૩) એક સોનાનો હાર વજન આશરે ત્રણ તોલા કિ.રૂ.-૧,૨૦,૦૦૦/- (૪) લેડીઝને પહેરવાની સોનાની વીંટી નંગ-૩ વજન આશરે દોઢ તોલુ કિ.રૂ.- ૬૦,૦૦૦/- મળી કુલ કિં. રૂ. ૬,૩૦,૦૦૦/- ના મુદામાલની કોઇ અજાણ્યો ઇસમે ચોરી કરી લઇ ગયો હોવાની ભોગ બનનાર દિલીપભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૪૫૭,૩૮૦ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.