નમો વડ વન, વન કવચ, પવિત્ર ઉપવન અને મીશન લાઈફ યોજનાઓ હેઠળ વન વિભાગ બનાવી રહ્યું છે હરિયાળું મોરબી
મોરબી: ગુજરાતે હરિયાળું અને સાચા અર્થમાં ગ્રીન ગુજરાત બનાવવા માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી વન વિભાગ દ્વારા પણ વિવિધ યોજનાઓ અને ઉપક્રમો હેઠળ મોરબીને હરિયાળું બનાવવા માટે સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મોરબી જિલ્લામાં ૨૧,૧૬૬ હેક્ટર વિસ્તારમાં અનામત વન વિસ્તાર આવેલો છે. જેની જાળવણી વન વિભાગ દ્વારા કરવામાં આવે છે. જિલ્લામાં સામાજિક વનીકરણ હેઠળ ૬ નર્સરીઓ આવેલી છે, જેના દ્વારા વિવિધ પ્રકારના રોપાઓનો ઉછેર કરી તેનું વાવેતર અને વિતરણ કરવામાં આવે છે. આગામી સમયમાં જિલ્લામાં ૧.૫ લાખ વૃક્ષો વાવવાનો નિર્ધાર વન વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.
સરકારની નમો વડ વન યોજના અન્વયે ટંકારાના કલ્યાણપર ખાતે પ્રભુચરણ આશ્રમ પાસે અને મોરબીના મકનસર ખાતે મકનસર પાંજરાપોળ મધ્યે ખાડા, વાહતુક, તકતી અને બાંકડા મૂકવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ઉપરાંત મકનસર પાંજરાપોળની બાજુમાં ૧ હેક્ટર વિસ્તારમાં તથા મકનસર ખાતે પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે ૨ હેક્ટર વિસ્તારમાં વન કવચ યોજના લાગુ કરવામાં આવી છે. મોરબી તાલુકાના કેરાળી ગામ ખાતે પવિત્ર ઉપવન તૈયાર કરવામાં આવ્યું છે, જ્યાં રોપા વાવેતર, બાળ ક્રીડાંગણ, આરામ માટે બાંકડા વગેરે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
મિશન લાઈફ હેઠળ તાજેતરમાં જ ૫ જેટલી કિશાન શિબર અને ૯ જેટલી સાઈકલ રેલીનું આયોજન કરી લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વિશ્વ પર્યાવરણ દિવસ અન્વયે મોરબી વન વિભાગ દ્વારા ઝાઝા હાથ રળિયામણા વિચારને ધ્યાનમાં રાખી સમગ્ર જિલ્લાવાસીઓને મોરબીને હરિયાળું બનાવવા સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
મોરબીના લીલાપર રોડ પર સ્મશાન નજીકથી ચોરાવ બાઈક સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સિટી એ ડીવીઝન પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરીમા ગયેલ હિરો હોન્ડા મોટરસાયકલ સાથે એક આરોપી મોરબી લીલાપર રોડ સ્મશાન પાસે થી મળી આવતા તેને ચેક કરતા આરોપી પાસે મોટરસાયકલ...
મોરબીના ત્રાજપર ખારી રામજી મંદિર પાસે શેરીમાં જાહેરમાં જુગાર રમતા એક મહિલા સહિત પાંચ ઇસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના સુપરવિઝન હેઠળ અત્રેના સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પોલીસને ખાનગીરાહે મળેલ બાતમીના આધારે મોરબી-૨ ત્રાજપર ખારી રામજી મંદિર પાસે શેરીમાં...
મોરબી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી જિલ્લા સંસ્કાર ભારતી ગુજરાત સંલગ્ન ડો. હેડગેવાર સ્મારક સમિતિ - મોરબી શાખા દ્વારા લાલબાગ ઉપનગર પરશુરામ વસ્તી બૌદ્ધનગર ( નજરબાગ સામે - ફિલ્ટર હાઉસ) ખાતે તારીખ 12 મેં સોમવારે ભગવાન બુદ્ધ પૂર્ણિમા નાં રોજ 15માં "ગૌતમ બુદ્ધ" બાલ સંસ્કાર કેન્દ્ર નો વિધીવત પ્રારંભ થયો.
આ...