૯ માં વિશ્વ યોગ દિવસ અન્વયે મોરબી જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
સમગ્ર વિશ્વની સાથે ભારતમાં અને ગુજરાત રાજ્યમાં યોગ આપણી જીવનશૈલીનું મહત્વનું અંગ બને તથા તન અને મન થી તંદુરસ્ત રહેવા માટે યોગ અને પ્રાણાયામને જીવનની દૈનિક ક્રિયાનો એક મહત્વનો ભાગ બનાવવા બાબતે લોકો જાગૃત બને તેવા ઉમદા હેતુ સાથે વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ, હર ઘર આંગણે યોગ’ થીમ સાથે ૯ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે મોરબી ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન બન્યા બાદ સમગ્ર વિશ્વને યોગ તરફ વળવા હાંકલ કરી અને વિશ્વએ યોગનું મહત્વ સ્વાકાર્યું. આજે સમગ્ર વિશ્વ ભરતની ઋષિ પરંપરા અપનાવી યોગ કરતું થયું છે. જિલ્લાના તમામ યોગ સાધકોને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, આપણું પરિવાર કાયમી યોગ કરતું થાય તે જરૂરી છે. આજે આપણી જીવનશૈલી અને ખાણીપીણી એવી થઈ ગઈ છે કે, સ્વાસ્થ્યપ્રદ જીવન માટે યોગ મહત્વનું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આજે સમગ્ર મોરબીમાં ૭૨ હજાર લોકો યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવાના છે.
આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ વિવિધ યોગાસનો અને પ્રાણાયામ કરી ઉત્સાહભેર યોગ દિવસની ઉજવણી કરી હતી અને યોગને જીવનનો એક અભિન્ન અંગ બનાવવા માટે નિર્ધાર કર્યો હતો.
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિતોને સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા સાથે જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યા, પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, નાયબ કલેકટર ડી.સી. પરમાર, નાયબ પોલીસ અધિક્ષક ઝાલા તથા ગોસ્વામી સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ/કર્મચારીઓ સાથે પોલીસ જવાનો, પોલીસ કેડેટ્સ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં બેગલેસ ડે અંતર્ગત બાલમેળો તેમજ લાઈફ સ્કિલ પ્રવૃત્તિઓ કરવામાં આવી
મોરબી: વિદ્યાર્થીઓને ભણતરની સાથે સાથે જીવન કૌશલ્યનો જ્ઞાન મળે,વિદ્યાર્થીઓ મનગમતી પ્રવૃત્તિઓ કરી શકે, વિદ્યાર્થીઓ રહેલી સુષુપ્ત શક્તિઓનું પ્રકટીકરણ થાય, વિદ્યાર્થીઓમાં ભણતરનો ભાર ઓછો થાય એ માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વ્યવસાયિક તાલીમ વોકેશનલ ટ્રેનિંગને મહત્વ આપવામાં આવ્યું...
મોરબી: શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં બેગલેસ ડે ની ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત સૌ પ્રથમ પ્રાર્થના સભા- બાલસભાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ ગીતો, ભજનો, કવિતાઓ, જાણવા જેવુ વગેરે રજૂ કરેલ. ત્યારબાદ લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી. વિદ્યાર્થીઓ ચૂંટણી પ્રક્રિયાથી વાકેફ થાય તે માટે શાળામાં બાલ સાંસદની રચના...
ટંકારા ખજુરા હોટલના પાર્કિંગમા થયેલ લુંટના ગુન્હાના વધું એક ઈસમને વાંકાનેર બાઉન્ટ્રી ખાતેથી ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. તેમજ આરોપીના નામદાર કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરતા દિન ૦૭ ના રિમાન્ડ મંજુર કરવામાં આવેલ છે.
ગઇ તા.૨૧ મેં ના રોજ નિલેષભાઈ મનસુખભાઇ ભાલોડી રહે. રાજકોટ તથા તેઓના ડ્રાઈવર બન્ને રાજકોટ...